પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 16 NOV 2022 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

મારા વિચારો તે લોકો સાથે છે જેમણે મિઝોરમમાં પથ્થરની ખાણની દુ:ખદ દુર્ઘટનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 રૂ. એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.: PM"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876322) Visitor Counter : 157