ગૃહ મંત્રાલય

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ નવી દિલ્હીમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 31 OCT 2022 2:06PM by PIB Ahmedabad

ગૃહમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી, શ્રી અમિત શાહે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે ગુજરાતના મોરબીમાં પુલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

આઝાદી પછી આધુનિક ભારતનો પાયો નાંખનાર અને તેને સાકાર કરવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સરદાર પટેલની જન્મજયંતિ પર આજે આપણે રાષ્ટ્રીય એકતાના સંદેશને આગળ લઈ જઈ રહ્યા છીએ

સરદાર સાહેબે તેમની કુશળ રાજકીય ક્ષમતાથી 500 થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક ભારતનું સ્વપ્ન સાકાર કર્યું

તે દિવસોમાં પણ રાષ્ટ્રવિરોધી શક્તિઓએ દેશના વિભાજનમાં કોઈ કસર છોડી ન હતી, પરંતુ સરદાર સાહેબના પ્રયત્નોને કારણે જ આપણને ભારતનો એકીકૃત નકશો દેખાય છે, જેવો આજે છે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ગુલામીના તમામ સ્વરૂપોમાંથી મુક્ત, સમૃદ્ધ, મજબૂત અને સુરક્ષિત ભારત તરફ આગળ વધી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેમણે 2047માં ભારત ક્યાં હશે તે અંગે સામૂહિક રીતે પ્રતિજ્ઞા લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે

અખંડ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનને સાકાર કરીને આજે ભારત ગર્વથી રાષ્ટ્રોના સમુદાયમાં ઊભું છે

સરદાર પટેલ રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત છે, અને તેમના વારસાને અવગણવાના પ્રયત્નો છતાં સરદારનું વ્યક્તિત્વ તેમને અમર બનાવે છે

 

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ નવી દિલ્હીમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014PVE.jpg

 

 

ગૃહમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી. વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર, વિદેશ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિશીથ પ્રામાણિક સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EO0W.jpg

શ્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતના મોરબીમાં પુલ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આજના કાર્યક્રમનું વિશેષ મહત્વ છે કારણ કે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે એવા વ્યક્તિની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતાના મહત્વપૂર્ણ સંદેશને આગળ લઈ જઈ રહ્યા છીએ જેમણે સ્વતંત્રતા પછી આધુનિક ભારતનો પાયો નાંખ્યો અને તેના વિઝનને સાકાર કરવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. શ્રી શાહે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પડતાં જ આજના સંયુક્ત ભારતનો નકશો મનમાં આવી જાય છે અને જો સરદાર સાહેબ ન હોત તો આજનું વિશાળ, સંકલ્પબદ્ધ, શક્તિશાળી ભારત શક્ય ન હોત.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NT9C.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદી પછી દેશની સૌથી મોટી સમસ્યા 500 થી વધુ રજવાડાઓને એક કરીને ભારતીય સંઘની રચના કરવાની હતી અને તેની રચનામાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર સાહેબની મુખ્ય ભૂમિકા હતી. તેમણે કહ્યું કે સરદાર સાહેબ જ હતા જેમણે પોતાની કુશળ અને અજોડ રાજકીય કુનેહથી આખા દેશને એક કર્યો. શ્રી શાહે જણાવ્યું હતું કે તે સમયે પણ રાષ્ટ્રવિરોધી શક્તિઓએ દેશના વિભાજનમાં કોઈ કસર છોડી ન હતી, પરંતુ સરદાર સાહેબના પ્રયત્નોને કારણે જ આજે આપણે ભારતનો એકીકૃત નકશો જોઈ રહ્યા છીએ.

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046LN3.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેની 75મી સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું છે, જેમણે 2047માં ભારત ક્યાં હશે તે અંગે સામૂહિક રીતે પ્રતિજ્ઞા લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

તેમણે કહ્યું કે 130 કરોડ લોકો અને દેશના રાજ્યોનો સામૂહિક સંકલ્પ 2047માં સરદાર સાહેબની કલ્પનાના ભારતનું નિર્માણ કરવામાં ચોક્કસ સફળ થશે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. છેલ્લા આઠ વર્ષથી ગુલામીના તમામ સ્વરૂપોમાંથી મુક્તિ મેળવીને સ્વાભિમાની, સમૃદ્ધ, મજબૂત અને સુરક્ષિત ભારતના નિર્માણ તરફ આગળ વધ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005U818.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશને એક કરવાના સંકલ્પને સાકાર કરીને ભારત આજે રાષ્ટ્રોના સમુદાયમાં ગર્વથી ઊભું છે. તેમણે કહ્યું કે સરદાર પટેલના વારસાને ઘણા વર્ષો સુધી અવગણવાના પ્રયાસો છતાં તેઓ તેમના ગુણોને કારણે અમર રહ્યા અને આજે સરદાર પટેલ રાષ્ટ્રના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે કહ્યું કે, આજે દેશભરમાં એકતા રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00619BR.jpg

લોખંડી પુરૂષ સરદાર પટેલના મહાન કાર્યોને યાદ કરીને શ્રી અમિત શાહે દેશવાસીઓને સરદાર પટેલના બતાવેલા માર્ગ પર ચાલવા અને 2047 સુધીમાં તેમના સંકલ્પને પૂર્ણ કરવા અપીલ કરી હતી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1872248) Visitor Counter : 9453