પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 05 OCT 2022 9:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હ્રદયદ્રાવક છે. દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે: પીએમ મોદી"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1865264) Visitor Counter : 150