માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રધાનમંત્રીના પસંદગીના ભાષણોના સંગ્રહ - "સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ" નું વિમોચન

Posted On: 22 SEP 2022 10:23AM by PIB Ahmedabad

 

  

"સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલે છે (મે 2019 - મે 2020)", ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પસંદગીના ભાષણોના સંગ્રહનું પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવશે. 23 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યે રંગ ભવન ઓડિટોરિયમ, આકાશવાણી ભવન, નવી દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહેશે. અને ગેસ્ટ ઓફ ઓનર, ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ હશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુર આ કાર્યક્રમના યજમાન હશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને મંત્રાલયના વિવિધ મીડિયા એકમોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પસંદગીના ભાષણોનું સંકલન, આ પુસ્તક 130 કરોડ ભારતીયોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિક છે જેના દ્વારા નવા ભારતના નિર્માણ માટે સામૂહિક વિશ્વાસ દ્વારા સર્વસમાવેશક વિકાસ માટે ‘જનભાગીદારી-સૌને સાથે લઈને’ આ વિઝનને હાંસલ કરવાનો સંકલ્પ જોવા મળે છે.

તે વિવિધ વિષયો પર મે 2019 થી મે 2020 સુધીના પ્રધાનમંત્રીના 86 ભાષણો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. દસ વિષયોના ક્ષેત્રોમાં વિભાજિત, આ ભાષણો 'નવા ભારત' માટે પીએમના વિઝનને પ્રતિબિંબિત કરે છે. જેમાં યોગ્ય રીતે વિતરિત વિભાગો છે – આત્મનિર્ભર ભારત: અર્થવ્યવસ્થા, લોકો-પ્રથમ શાસન, કોવિડ-19 સામે લડત, ઉભરતું ભારત: વિદેશી બાબતો, જય કિસાન, ટેક ઈન્ડિયા-ન્યૂ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા-રિઝિલિયન્ટ ઈન્ડિયા-ક્લીન ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા- કાર્યક્ષમ ભારત, શાશ્વત ભારત-આધુનિક ભારત: સાંસ્કૃતિક વારસો, અને મન કી બાત.

આ પુસ્તકમાં નવા ભારતના પ્રધાનમંત્રીના વિઝનને દર્શાવવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર, સ્થિતિસ્થાપક અને પડકારોને તકોમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ છે. પ્રધાનમંત્રી તેમની અસાધારણ વક્તૃત્વ શૈલી દ્વારા લોકો સાથે જોડાવા માટે નેતૃત્વના ગુણો, દૂરંદેશી વિચારસરણી અને અગમચેતીને ઉત્તમ સંચાર ક્ષમતાઓ સાથે જોડે છે. આ જ વાત તેમના શબ્દો દ્વારા આ પુસ્તકમાં પ્રતિબિંબિત થાય છે જેમ કે, “અમે 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્રથી શરૂઆત કરી હતી; પરંતુ પાંચ વર્ષના સતત સમર્પણ સાથે, લોકોએ તેમાં વધુ એક શાનદાર શબ્દ ઉમેર્યો છે, તે છે, 'સબકા વિશ્વાસ'."

હિન્દી તેમજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવા માટે, પુસ્તકો સમગ્ર દેશમાં પ્રકાશન વિભાગના વેચાણ આઉટલેટ્સ અને સૂચના ભવન, CGO કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતેની બુક ગેલેરી પર ઉપલબ્ધ થશે. પુસ્તકો પ્રકાશન વિભાગની વેબસાઈટ તેમજ ભારતકોશ પ્લેટફોર્મ પરથી પણ ઓનલાઈન ખરીદી શકાય છે. ઈ-બુક્સ એમેઝોન અને ગૂગલ પ્લે પર પણ ઉપલબ્ધ હશે.

પ્રકાશન વિભાગ વિશે:

ડિરેક્ટોરેટ ઑફ પબ્લિકેશન્સ ડિવિઝન એ પુસ્તકો અને સામયિકોનો ભંડાર છે જે રાષ્ટ્રીય મહત્વના વિષયો અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરે છે. 1941માં સ્થપાયેલ, પ્રકાશન વિભાગ એ ભારત સરકારનું એક અગ્રણી પ્રકાશન ગૃહ છે જે વિવિધ ભાષાઓમાં અને વિકાસ, ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, જીવનચરિત્રો, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ અને રોજગાર જેવા વિવિધ વિષયો પર પુસ્તકો અને સામયિકો ઓફર કરે છે. ડિવિઝને વાચકો અને પ્રકાશકોમાં વિશ્વસનીયતાનો જાળવ્યા છે અને સામગ્રીની અધિકૃતતા માટે પણ ઓળખાય છે.

વિભાગના મુખ્ય પ્રકાશનોમાં લોકપ્રિય માસિક સામયિકો જેમ કે યોજના, કુરુક્ષેત્ર અને આજકલ તેમજ સાપ્તાહિક રોજગાર અખબારો ‘એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ’ અને ‘રોજગાર સમાચાર’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રકાશન વિભાગ સરકારનું પ્રતિષ્ઠિત સંદર્ભ વાર્ષિક ‘ઇન્ડિયા યર બુક’ પણ પ્રકાશિત કરે છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1861392) Visitor Counter : 215