પર્યાવરણ અને વન મંત્રાલય

કેબિનેટે ભારત અને નેપાળ વચ્ચે જૈવવિવિધતા સંરક્ષણના ક્ષેત્રમાં એક એમઓયુ પર હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 31 AUG 2022 12:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેપાળ સરકાર સાથે જૈવવિવિધતા સંરક્ષણના એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના પ્રસ્તાવને, જંગલો, વન્યજીવન, પર્યાવરણ, જૈવવિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહકાર, કોરિડોર અને એકબીજા સાથે જોડાયેલા વિસ્તારોની પુનઃસ્થાપના અને બંને દેશો વચ્ચે જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવા સહિત  આ સંકલનને મજબૂત અને વધારવાના હેતુથી મંજૂરી આપી છે.

એમઓયુ પક્ષો વચ્ચે જંગલો, વન્યજીવન, પર્યાવરણ, જૈવવિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રે સહકારને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે, જેમાં કોરિડોર અને એકબીજા સાથે જોડાયેલા વિસ્તારોની પુનઃસ્થાપન અને જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓન આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855688) Visitor Counter : 132