પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ઉત્તર પ્રદેશના બાંદા ખાતે યમુના નદીમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
11 AUG 2022 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં યમુના નદીમાં થયેલા અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને માહિતી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના બાંદામાં યમુના નદીમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે.: PM @narendramodi"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1851129)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam