પર્યાવરણ અને વન મંત્રાલય

ભારત-નામિબિયાએ વન્યજીવોનાં સંરક્ષણ અને જૈવવિવિધતાના સ્થાયી ઉપયોગ પર એક સમજૂતી કરાર-એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

આ એમઓયુ બંને દેશો વચ્ચે વન્ય પ્રાણી સંરક્ષણ અને જૈવવિવિધતાના ટકાઉ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે

વૈશ્વિક સંરક્ષણ પ્રયત્નોમાં યોગદાન આપતા ઐતિહાસિક ઉત્ક્રાંતિ સંતુલનને પુન: સ્થાપિત કરવા માટે ભારતમાં ચિત્તાને ફરીથી રજૂ કરવાનો પ્રોજેક્ટ

Posted On: 20 JUL 2022 12:59PM by PIB Ahmedabad

ભારત સરકાર અને નામિબિયા પ્રજાસત્તાકની સરકારે આજે ભારતમાં ચિત્તાને ઐતિહાસિક રેન્જમાં સ્થાપિત કરવા માટે વન્યજીવોનાં સંરક્ષણ અને જૈવવિવિધતાના સ્થાયી ઉપયોગ પર સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. એમઓયુ પારસ્પરિક સન્માન, સાર્વભૌમત્વ, સમાનતા અને ભારત અને નામિબિયા બંનેનાં શ્રેષ્ઠ હિતના સિદ્ધાંતો પર આધારિત વન્યજીવ સંરક્ષણ અને જૈવવિવિધતાના સ્થાયી ઉપયોગને પ્રોત્સાહન આપવા પારસ્પરિક લાભદાયક સંબંધ વિકસાવવાની સુવિધા પ્રદાન કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CHP6.jpg

એમઓયુના મુખ્ય મુખ્ય ક્ષેત્રો મુજબ છે:

ચિત્તા જ્યાંથી લુપ્ત થયા હતા અગાઉના રેન્જ વિસ્તારોમાં ચિત્તાના સંરક્ષણ અને પુનઃસ્થાપન પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા સાથે જૈવવિવિધતાનું સંરક્ષણ,

બે દેશોમાં ચિત્તાના સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કુશળતા અને ક્ષમતાઓનું આદાનપ્રદાન અને વહેંચણી,

ટેકનોલોજીકલ એપ્લિકેશન્સમાં સારી પદ્ધતિઓની વહેંચણી, વન્યજીવોના રહેઠાણોમાં રહેતા સ્થાનિક સમુદાયો માટે આજીવિકા નિર્માણની વ્યવસ્થા અને જૈવવિવિધતાનું સ્થાયી વ્યવસ્થાપન કરીને વન્યજીવનનું સંરક્ષણ અને જૈવવિવિધતાને સંતુલિત કરીને જૈવવિવિધતાનો સાતત્યપૂર્ણ ઉપયોગ.

આબોહવામાં પરિવર્તન, પર્યાવરણીય શાસન, પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન, પ્રદૂષણ અને કચરાનું વ્યવસ્થાપન તથા પારસ્પરિક હિતના અન્ય ક્ષેત્રોમાં સહયોગ.

વન્યજીવ વ્યવસ્થાપનમાં તાલીમ અને શિક્ષણ માટે કર્મચારીઓનું આદાન-પ્રદાન, જેમાં જ્યાં પ્રસ્તુત હોય ત્યાં ટેકનિકલ કુશળતાની વહેંચણી સામેલ છે.

 

રાષ્ટ્રીય સંરક્ષણ નીતિશાસ્ત્ર અને પ્રકૃતિ માટે ચિત્તાનું ખૂબ વિશેષ મહત્વ છે. ચિત્તાને ભારત પાછા લાવવાથી સંરક્ષણની એટલી મહત્વપૂર્ણ અસર થશે. ચિત્તાની પુનઃસ્થાપના મૂળ ચિત્તાના રહેઠાણો અને તેમની જૈવવિવિધતાની પુનઃસ્થાપના માટેના પ્રોટોટાઇપનો એક ભાગ હશે, જે જૈવવિવિધતાની અધોગતિ અને ઝડપથી થતા નુકસાનને રોકવામાં મદદ કરશે.

મોટા માંસાહારીઓમાં, ચિત્તાઓ માટે માનવ હિતો સાથેનો સંઘર્ષ સૌથી ઓછો છે, કારણ કે તે માણસો માટે ખતરો નથી અને સામાન્ય રીતે મોટા પશુધન પર હુમલો કરતા નથી. ટોચના શિકારીને પાછા લાવવાથી ઐતિહાસિક ઉત્ક્રાંતિ સંતુલન પુનઃસ્થાપિત થાય છે, જેના પરિણામે ઇકોસિસ્ટમના વિવિધ સ્તરો પર પારસ્પરિક અસરો થાય છે, જે વન્યજીવનના રહેઠાણ (ઘાસના મેદાનો, ઝાડીઓ અને ખુલ્લા વન ઇકોસિસ્ટમ્સ)ના વધુ સારા સંચાલન અને પુનઃસ્થાપન તરફ દોરી જાય છે, ચિત્તાના શિકાર અને સમપૈતૃક લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ અને મોટા શિકારીની ટોપ-ડાઉન અસર તરફ દોરી જાય છે જે ઇકોસિસ્ટમના નીચા ટ્રોફિક સ્તરોમાં વિવિધતાને વધારે છે અને જાળવી રાખે છે.

ભારતમાં ચિત્તાને પુનઃ રજૂ કરવાની પરિયોજનાનો મુખ્ય ધ્યેય ભારતમાં વ્યવહારુ ચિત્તા મેટાપોપ્યુલેશન સ્થાપિત કરવાનો છે, જે ચિત્તાને ટોચના શિકારી તરીકેની તેની કાર્યાત્મક ભૂમિકા નિભાવવાની મંજૂરી આપે છે અને તેની ઐતિહાસિક રેન્જમાં ચિત્તાનાં વિસ્તરણ માટે જગ્યા પૂરી પાડે છે, જેથી તેનાં વૈશ્વિક સંરક્ષણ પ્રયત્નોમાં ફાળો આપે છે.

૨૦૧૦થી ૨૦૧૨ની વચ્ચે ૧૦ સાઇટ્સ માટે સર્વે કરવામાં આવ્યા હતાસંઘર્ષ અને આજીવિકાના વસ્તીવિષયક, આનુવંશિકતા અને સામાજિક-અર્થશાસ્ત્ર અનુસાર પ્રજાતિની સદ્ધરતાને ધ્યાનમાં લેતા પુનઃપ્રસ્તુતિઓ માટે આઇયુસીએન માર્ગદર્શિકાના આધારે ભારતમાં ચિત્તાની વસતી સ્થાપિત કરવાની શક્યતા માટે મૂલ્યાંકન કરવામાં આવેલા સંભવિત સ્થળોમાંથી, મધ્ય પ્રદેશ રાજ્યમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનને ઓછામાં ઓછા વ્યવસ્થાપન હસ્તક્ષેપ સાથે ચિત્તા પ્રાપ્ત કરવા માટે તૈયાર માનવામાં આવતું હતું કારણ કે એશિયાઇ સિંહોને ફરીથી દાખલ કરવા માટે સંરક્ષિત વિસ્તારમાં ઘણું રોકાણ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકા (દક્ષિણ આફ્રિકા, નામિબિયા, બોટ્સવાના અને ઝિમ્બાબ્વે)ના ચિત્તાની હાજરીના સ્થળોનો ઉપયોગ પ્રસ્તુત ઇકો-ક્લાઇમેટ કોવેરિયેટ્સ સાથે કરવામાં આવ્યો હતો, જેથી મેક્સિમમ એન્ટ્રપી મોડલ્સનો ઉપયોગ કરીને ભારતમાં તેને સમકક્ષ અનુકૂળ જગ્યાનું મોડેલ તૈયાર કરી શકાય. વિશ્લેષણ દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકાના ચિત્તાનું આબોહવાનું અનુકૂળ માળખું ભારતમાં અસ્તિત્વમાં છે, જેમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાના રહેઠાણની યોગ્યતાની સંભાવના વધારે છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન માટેનો એક્શન પ્લાન આઇયુસીએન (IUCN)ની માર્ગદર્શિકાનું પાલન કરીને અને સ્થળ મૂલ્યાંકન અને શિકારની ઘનતા, કુનો નેશનલ પાર્કની વર્તમાન ચિત્તાની વહન ક્ષમતા અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે.

કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની હાલની વહન ક્ષમતા મહત્તમ 21 ચિત્તાની છે, પરંતુ એકવાર મોટા લેન્ડસ્કેપને પુનઃસ્થાપિત કરવામાં આવે તો તે લગભગ 36 ચિત્તા રાખી શકે છે. શિકારની પુનઃસ્થાપના દ્વારા કુનો વન્યજીવન વિભાગના બાકીના ભાગ (1,280 ચોરસ કિ.મી.)નો સમાવેશ કરીને વહન ક્ષમતામાં વધુ વધારો કરી શકાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GVCV.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003B0NV.jpg

ભારતમાં ચિત્તા પુનઃપ્રસ્તુત કાર્યક્રમને નાણાકીય અને વહીવટી સહાય વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા એનટીસીએ મારફતે પ્રદાન કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રનાં સ્તરે વધારાના ભંડોળ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) મારફતે સરકારી અને કોર્પોરેટ સંસ્થાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબલ્યુઆઇઆઇ), રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંસાહારી/ચિત્તાના નિષ્ણાતો/એજન્સીઓ કાર્યક્રમને ટેકનિકલ અને નોલેજ સપોર્ટ પ્રદાન કરશે.

વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય, એનટીસીએ, ડબલ્યુઆઇઆઇ, રાજ્ય વન વિભાગના અધિકારીઓને આફ્રિકાના ચિત્તા સંરક્ષણ અનામતમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમો મારફતે ભારતમાં ચિત્તાને પુનઃપ્રસ્તુત કરવાની સફળતા સુનિશ્ચિત કરવા વાકેફ કરવામાં આવશે. ઉપરાંત આફ્રિકાના ચિત્તા વ્યવસ્થાપકો અને જીવવિજ્ઞાનીઓને ભારતીય સમકક્ષોને તાલીમ આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.

કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વ્યવસ્થાપન દેખરેખ માટે જવાબદાર રહેશે જે સુરક્ષા અને સંચાલન માટે જરૂરી છે જ્યારે ચિત્તા સંશોધન ટીમ સંશોધન માટે દેખરેખ રાખશે. સ્થાનિક ગ્રામજનોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પહોંચ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

સરપંચો, સ્થાનિક નેતાઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો, ધાર્મિક વ્યક્તિઓ અને એનજીઓને સંરક્ષણમાં વધુ સારી હિસ્સેદારી પ્રદાન કરવામાં આવશે. વન વિભાગ પાસે ઉપલબ્ધ સંરક્ષણ અને વિવિધ યોજનાઓ વિશે લોકોને જાગૃત કરતી યોજનાઓ સાથે શાળાઓ, કૉલેજો અને ગામો માટે જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. "ચિન્ટુ ચિત્તા" નામના સ્થાનિક માસ્કોટ સાથે સ્થાનિક સમુદાયો માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના મતવિસ્તારોમાંથી રાજ્યના તમામ અધિકારીઓ અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને ચિત્તા-માનવ ઇન્ટરફેસ સંબંધિત માહિતીનો પ્રસાર કરવા જણાવ્યું છે.

2020માં ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર, ભારતમાં ચિત્તા ફરીથી દાખલ કરવાની દેખરેખ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ), પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમઓઇએફ એન્ડ સીસી) દ્વારા કરવામાં આવી રહી છે, જેનું માર્ગદર્શન અને નિર્દેશન ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

પુસ્તિકાની લિંક પર ક્લિક કરો “Action Plan for Reintroduction of Cheetah” in India

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1842974) Visitor Counter : 472