પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 22 JUN 2022 9:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું

"આજે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપના સમાચારથી ખૂબ જ દુઃખી છું. અમૂલ્ય જીવનની હાનિ માટે મારી ઊંડી સંવેદના.

ભારત તેમના મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની પડખે છે અને શક્ય તેટલી વહેલી તકે તમામ આપત્તિ રાહત સામગ્રી પ્રદાન કરવા માટે તૈયાર છે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836358) Visitor Counter : 126