પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રી, વાગીશ શાસ્ત્રી તરીકે ઓળખાતા પ્રોફેસર ભગીરથ પ્રસાદ ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 MAY 2022 9:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રી, વાગીશ શાસ્ત્રી તરીકે ઓળખાતા પ્રોફેસર ભગીરથ પ્રસાદ ત્રિપાઠીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રોફેસર ભગીરથ પ્રસાદ ત્રિપાઠી 'વાગીશ શાસ્ત્રી' આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને યુવાનોમાં સંસ્કૃતને વધુ લોકપ્રિય બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓ અત્યંત જાણકાર અને ખૂબજ અભ્યાસુ હતા. તેમના નિધનથી વ્યથિત થયો છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."        

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824587) Visitor Counter : 170