પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહામહિમ મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 11 APR 2022 11:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું છે કે ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જેથી બંને દેશો તેના વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહામહિમ મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી અમે અમારા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને અમારા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ. "

SD/GP/JD



(Release ID: 1815847) Visitor Counter : 147