પ્રધાનમંત્રીનું કાર્યાલય

14મી ભારત જાપાન વાર્ષિક સમિટ (19 માર્ચ 2022; નવી દિલ્હી)

Posted On: 17 MAR 2022 8:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિશિદા ફ્યુમિયો 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે 19-20 માર્ચ 2022 દરમિયાન નવી દિલ્હીની સત્તાવાર મુલાકાત લેશે. આ સમિટ બંને નેતાઓની પ્રથમ મુલાકાત હશે. અગાઉની ભારત-જાપાન વાર્ષિક સમિટ ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થઈ હતી.

2. ભારત અને જાપાન તેમની 'વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી'ના દાયરામાં બહુપક્ષીય સહયોગ ધરાવે છે. શિખર સંમેલન બંને પક્ષોને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવા અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે જેથી કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે તેમની ભાગીદારીને આગળ વધારી શકાય.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1807317) Visitor Counter : 163