સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
COVID-19 રસીકરણ અપડેટ
સરકારે 16મી માર્ચ 2022થી 12-13 વર્ષ અને 13-14 વર્ષની વય જૂથો માટે કોવિડ19 રસીકરણનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો
60+ વસતી માટે સહ-રોગીતાની સ્થિતિ દૂર; 60 વર્ષથી ઉપરના બધા હવે 16મી માર્ચ 2022થી કોવિડ રસીના સાવચેતી ડોઝ માટે પાત્ર છે
प्रविष्टि तिथि:
14 MAR 2022 1:55PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે યોગ્ય વિચાર-વિમર્શ કર્યા પછી 12-13 વર્ષ અને 13-14 વર્ષની વય જૂથો (જેઓ 2008, 2009 અને 2010 માં જન્મેલા છે. એટલે કે જેઓ પહેલેથી જ 12 વર્ષથી વધુ ઉંમરના છે) માટે કોવિડ 19 રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 16મી માર્ચ 2022થી કોવિડ 19 રસી આપવામાં આવશે જે બાયોલોજિકલ ઇવાન્સ, હૈદરાબાદ દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સ હશે.
નોંધનીય છે કે 14 વર્ષથી વધુ વયની વસતીને ચાલુ COVID19 રસીકરણ કાર્યક્રમ હેઠળ પહેલેથી જ કોવિડ19 રસી આપવામાં આવી રહી છે.
સરકારે એ પણ નિર્ણય લીધો છે કે 60 વર્ષથી વધુ વયની વસતી માટે કોવિડ-19 સાવચેતીના ડોઝ માટે સહ-રોગની સ્થિતિ તાત્કાલિક દૂર કરવામાં આવશે. આથી, 16મી માર્ચ 2022 થી, 60 વર્ષથી ઉપરની સમગ્ર વસતી કોવિડ19 રસીના સાવચેતી ડોઝ માટે પાત્ર બનશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1805718)
आगंतुक पटल : 345
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu