નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય "આઝાદી કા અમૃત મહોત્સવ" ના ભાગ રૂપે પુનઃપ્રાપ્ય ઊર્જા પર "નવી સીમાઓ" કાર્યક્રમનું આયોજન કરશે


પાવર અને MNRE મંત્રી વિદ્યાર્થીઓ અને થિંકટેંક સાથે વાર્તાલાપ કરશે

ઉદ્યોગ અગ્રણીઓ કે જેમણે તેમની એનર્જી કોમ્પેક્ટ્સ સબમિટ કરી છે તેમને સન્માનિત કરવામાં આવશે

મંત્રાલય રિન્યુએબલ એનર્જીના વિવિધ પાસાઓ પર વેબિનાર, ચર્ચાઓ અને ચિંતન બેઠકોનું આયોજન કરશે

Posted On: 15 FEB 2022 10:27AM by PIB Ahmedabad

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે "નવી સીમાઓ" નામના રિન્યુએબલ એનર્જી પર એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 દરમિયાન યોજાશે.

કાર્યક્રમના ભાગરૂપે, મંત્રાલય 16 ફેબ્રુઆરી 2022ના રોજ વિજ્ઞાન ભવન ખાતે "ઈન્ડિયાઝ લીડરશીપ ઇન એનર્જી ટ્રાન્ઝિશન" થીમ પર ભૌતિક કાર્યક્રમનું આયોજન કરશે. કેન્દ્રીય ઊર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી આર.કે. સિંઘ અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રી શ્રી ભગવંત ઢુબા વિશેષ વક્તવ્ય આપશે. "નાગરિક-કેન્દ્રીત એનર્જી ટ્રાન્ઝિશન - ઈન્ડિયાઝ સ્ટોરી" પર એક વીડિયો ચલાવવામાં આવશે, જેમાં એનર્જી કોમ્પેક્ટની મુખ્ય વિશેષતાઓ પણ સામેલ હશે. આ પછી કેન્દ્રીય ઊર્જા મંત્રી અને MNRE શ્રી આર. કે. સિંઘ સાથે વાર્તાલાપ ઉપરાંત વિદ્યાર્થીઓ અને થિંક ટેન્ક સાથે પ્રશ્ન અને જવાબનું સત્ર થશે. ઉદ્યોગ અગ્રણીઓ, જેમણે તેમની એનર્જી કોમ્પેક્ટ (EC) સબમિટ કરી છે, તેઓને મંત્રી અને રાજ્ય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે. એનર્જી કોમ્પેક્ટ્સ (EC) પુસ્તિકાનું વિમોચન પણ એવોર્ડ કાર્યક્રમનો એક ભાગ છે.

મંત્રાલય 17 ફેબ્રુઆરી 2022 ના રોજ ત્રણ વેબિનારનું આયોજન કરશે, જેમ કે, “વુમન ઈન આરઈ-કોલ ફોર એક્શન”, “રોલ ઓફ આઈએસએ ઈન એનર્જી ટ્રાન્શીસન”, અને ક્લીન-ટેક સ્ટાર્ટ-અપ્સ એન્ડ ક્લાઈમેટ એન્ટરપ્રેન્યોર્સ ઈન પ્રોવાઈડીંગ ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જી”.

18 ફેબ્રુઆરી 2022ના રોજ, કાર્યક્રમના છેલ્લા દિવસે, વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર "2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના માર્ગમેપ" પર વિચાર-વિમર્શની બેઠક યોજાશે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન સાથે થશે અને DG, FICCI દ્વારા સંદર્ભ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ માનનીય ઊર્જા અને NRE મંત્રી દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવશે. NRE, MOP, MOEFCC, ભારતીય રેલવે, અગ્રણી પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યોના મુખ્ય સચિવો, જાહેર ક્ષેત્રના સાહસો (BEE, NTPC, SECI, PGCIL, વગેરે), ઉદ્યોગો અને અન્ય હિતધારકો(CEA, CERC, SERC, વગેરે) ને સાથે નેટ શૂન્ય ધ્યેય અને ઊર્જા સંક્રમણના માર્ગો હાંસલ કરવાના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓને સમજાવવા એક વિચાર-મંથન સત્ર હાથ ધરવામાં આવશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798436) Visitor Counter : 327