પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા કથકલી નૃત્યાંગના સુશ્રી મિલેના સાલ્વિનીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 26 JAN 2022 5:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કથકલી નૃત્યાંગના સુશ્રી મિલેના સાલ્વિનીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રીમતી મિલેના સાલ્વિનીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. તેમણે સમગ્ર ફ્રાન્સમાં કથકલીને વધુ લોકપ્રિય બનાવવા માટે અસંખ્ય પ્રયત્નો કર્યા. તેમના નિધનથી હું દુઃખી છું. મારા વિચારો તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે. શાંતિ."

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1792851) મુલાકાતી સંખ્યા : 250