ગૃહ મંત્રાલય

સુભાષ ચંદ્ર બોઝ આપત્તી પ્રબંધન પુરસ્કાર 2022


ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન (સંસ્થા કેટેગરી) અને પ્રોફેસર વિનોદ શર્મા (વ્યક્તિગત કેટેગરી)ને આ વર્ષના સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

2019, 2020 અને 2021ના પુરસ્કાર વિજેતાઓ તેમજ આ વર્ષના વિજેતાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે આયોજિત સમારોહમાં સન્માનિત કરશે.

Posted On: 23 JAN 2022 9:06AM by PIB Ahmedabad

દેશમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વ્યક્તિ અને સંસ્થાઓના અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે, ભારત સરકાર દ્વારા સુભાષ ચંદ્ર બોઝ આપત્તી પ્રબંધન પુરસ્કાર નામનો વાર્ષિક પુરસ્કાર સ્થાપિત કરવામાં આવ્યો છે. એવોર્ડની જાહેરાત દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતીના રોજ કરવામાં આવે છે. એવોર્ડ તરીકે સંસ્થાને રૂ. 51 લાખ રોકડ અને પ્રમાણપત્ર અને રૂ. 5 લાખ રોકડ અને વ્યક્તિગત સ્તરે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

વર્ષના પુરસ્કાર માટે 1 જુલાઈ, 2021થી નામાંકન આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2022ના એવોર્ડ માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. એવોર્ડ યોજના હેઠળ સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી 243 માન્ય નામાંકન પ્રાપ્ત થયા હતા.

વર્ષ 2022 માટે, (i) ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા (સંસ્થા કેટેગરી) અને (ii) પ્રોફેસર વિનોદ શર્મા (વ્યક્તિગત કેટેગરી)ને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે સુભાષ ચંદ્ર બોઝ આપત્તી પ્રબંધન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. ,

આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે 2022 પુરસ્કાર વિજેતાઓના ઉત્કૃષ્ટ કાર્યનો સારાંશ નીચે મુજબ છે:

(i) ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) 2012માં સ્થપાયેલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાતની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. વ્યૂહાત્મક રીતે રચાયેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમોની શ્રેણી દ્વારા, GIDM રોગચાળા દરમિયાન બહુ-કટોકટી જોખમ સંચાલન અને શમન સંબંધિત વિવિધ વિષયો પર 12,000થી વધુ વ્યાવસાયિકોને તાલીમ આપી છે. તાજેતરની કેટલીક મોટી પહેલોમાં યુઝર-ફ્રેન્ડલી ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલનો વિકાસ અને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોજેક્ટના પૂરક તરીકે કોવિડ-19 સર્વેલન્સ પ્રયાસોના ભાગરૂપે ટેકનોલોજી આધારિત એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમ સર્વેલન્સ (ACSYS) સિસ્ટમનો વિકાસ વગેરે સામેલ છે.

 (ii) પ્રોફેસર વિનોદ શર્મા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ પ્રોફેસર અને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ-ચેરમેન છે. તેઓ નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્થાપક કન્વીનર છે, જે હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. તેમણે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) સંબંધિત વિષયને રાષ્ટ્રીય કાર્યસૂચિમાં મુખ્ય કાર્ય તરીકે સામેલ કરવા માટે અથાક મહેનત કરી છે. ભારતમાં DRR માં તેમના અગ્રણી કાર્યને કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને તેઓ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) અને અન્ય તમામ વહીવટી તાલીમ સંસ્થાઓ (ATIs)માં ડિઝાસ્ટર મેનેજમેન્ટની શિસ્તમાં મુખ્ય વ્યક્તિ છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઈસ-ચેરમેન તરીકે, તેમણે DRRના અમલીકરણમાં સિક્કિમને એક મોડેલ રાજ્ય બનાવ્યું છે, આબોહવા પરિવર્તન અને DRRને જોડવા માટે પંચાયત સ્તરની સજ્જતા યોજનાઓ શરૂ કરી છે.

વર્ષ 2019, 2020 અને 2021 માટે પુરસ્કાર મેળવનારાઓની સાથે, નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે આજે સાંજે આયોજિત સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓનું પણ સન્માન કરવામાં આવશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791951) Visitor Counter : 576