પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12 નવેમ્બરે આરબીઆઈની બે નવીન ગ્રાહક કેન્દ્રિત પહેલ શરૂ કરશે

Posted On: 11 NOV 2021 10:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની બે નવીન ગ્રાહક કેન્દ્રિત પહેલો લોન્ચ કરશે. આ પહેલ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક - ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે.

આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમનો હેતુ રિટેલ રોકાણકારો માટે સરકારી સિક્યોરિટીઝ માર્કેટ સુધી પહોંચ વધારવાનો છે. તે તેમને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ માટે એક નવો માર્ગ પ્રદાન કરે છે. રોકાણકારો આરબીઆઈ સાથે તેમના સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટને સરળતાથી ખોલી શકશે અને તેની જાળવણી કરી શકશે.

રિઝર્વ બેંક - ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો ઉદ્દેશ્ય આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલી સંસ્થાઓ સામેની ગ્રાહક ફરિયાદોના નિરાકરણ માટે ફરિયાદ નિવારણ પદ્ધતિમાં વધુ સુધારો કરવાનો છે. આ યોજનાની કેન્દ્રીય થીમ ગ્રાહકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે એક પોર્ટલ, એક ઈમેલ અને એક સરનામું સાથે ‘વન નેશન-વન ઓમ્બડ્સમેન’ પર આધારિત છે. ગ્રાહકો માટે તેમની ફરિયાદો દાખલ કરવા, દસ્તાવેજો સબમિટ કરવા, સ્ટેટસ ટ્રૅક કરવા અને પ્રતિસાદ આપવા માટે એક જ બિંદુ હશે. બહુભાષી ટોલ-ફ્રી નંબર ફરિયાદ નિવારણ અને ફરિયાદો દાખલ કરવા માટે સહાય અંગેની તમામ સંબંધિત માહિતી પ્રદાન કરશે.

કેન્દ્રીય નાણામંત્રી અને આરબીઆઈ  ગવર્નર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1770830) Visitor Counter : 341