સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 98.67 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 87 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.14%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 13,058 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,83,118) માર્ચ 2020 પછી સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.36%) 116 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 19 OCT 2021 9:36AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 87,41,160 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 98.67 કરોડ (98,67,69,411) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 97,44,653 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.  

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,76,000

બીજો ડોઝ

90,91,443

FLWs

પ્રથમ ડોઝ

1,83,62,479

બીજો ડોઝ

1,55,61,415

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

39,58,41,135

બીજો ડોઝ

11,40,66,397

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,84,48,531

બીજો ડોઝ

8,71,46,650

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,60,88,795

બીજો ડોઝ

6,17,86,566

કુલ

98,67,69,411

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,34,58,801 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 19,470 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.14% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PR57.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 13,058 નવા કેસ નોંધાયા છે. 231 દિવસમાં દૈનિક નવા કેસ સૌથી ઓછા નોંધાયા છે.

114 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OP5H.jpg

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,83,118 છે, જે હવે માર્ચ 2020 પછી સૌથી ઓછું છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.54% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RNKD.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,81,314 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.31 કરોડથી વધારે (59,31,06,188) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.36% છે જે છેલ્લા 116 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.11% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 50 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 133 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056NU9.jpg

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764862) Visitor Counter : 169