પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 24 ઓક્ટોબર, 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું

Posted On: 16 OCT 2021 9:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 82મા એપિસોડ માટે નાગરિકોને તેમના વિચારો જણાવવા હાકલ કરી છે, જે રવિવાર, 24 ઓક્ટોબર, 2021ના રોજ પ્રસારિત થશે. મન કી બાત માટેના વિચારો નમો એપ, MyGov પર શેર કરી શકાય છે અથવા તમારો સંદેશ 1800-11-7800 ફોન નંબર પર રેકોર્ડ કરી શકાય છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ મહિને, #MannKiBaat કાર્યક્રમ 24 તારીખે થશે. હું તમને બધાને આ મહિનાના એપિસોડ માટે તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપું છું. નમો એપ, @mygovindia પર લખો અથવા તમારો સંદેશ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 ડાયલ કરો. https://t.co/QjCz2bvaKg"

 

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764308) Visitor Counter : 212