પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે પીએમએનઆરએફ તરફથી અનુગ્રહ રાશિને મંજૂરી

Posted On: 07 OCT 2021 11:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી અનુગ્રહ રાશિ  પણ મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માતથી દુ:ખી. જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. પીએમએનઆરએફ તરફથી પ્રત્યેક મૃતકોના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi "

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1761675) Visitor Counter : 221