પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

Posted On: 26 SEP 2021 5:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈક સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી @Naveen_Odisha જી સાથે વાતચીત કરી. કેન્દ્ર તરફથી આ સંકટના સમયે તમામ શક્ય સહયોગની ખાતરી આપવામાં આવી. સૌની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.’

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758356) Visitor Counter : 250