સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.13 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા
                    
                    
                        
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 69.90 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 97.48% 
છેલ્લા 24 કલાકમાં 31,222 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,92,864), કુલ કેસનાં 1.19% 
સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.56%) 74 દિવસથી 3% કરતા ઓછો
                    
                
                
                    Posted On:
                07 SEP 2021 9:53AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.13 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા. છેલ્લા 11 દિવસમાં આ સિદ્ધિ ત્રણ વખત પ્રાપ્ત થઈ છે. ભારતનું સંચિત રસીકરણ કવરેજ ગઈકાલે 69.90 કરોડનાં સીમાચિહ્ન પાર કરી ગયું. સાથે જ છેલ્લા 24 કલાકમાં 1,13,53,571 રસી ડોઝ આપવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 69.90 કરોડ (69,90,62,776) રસી ડોઝ 72,26,439 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે.   
આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
	
		
			| 
			 HCWs 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 1,03,61,392 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 85,01,490 
			 | 
		
		
			| 
			 FLWs 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 1,83,31,433 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 1,36,58,274 
			 | 
		
		
			| 
			 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 27,76,44,784 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 3,59,16,927 
			 | 
		
		
			| 
			 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 13,80,26,694 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 5,89,70,434 
			 | 
		
		
			| 
			 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 9,03,51,520 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 4,72,99,828 
			 | 
		
		
			| 
			 કુલ 
			 | 
			
			 69,90,62,776 
			 | 
		
	
 
કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,22,24,937 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 42,942 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.48% સુધી પહોંચી ગયો છે. 

72 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 31,222 નવા કેસ નોંધાયા છે.

સક્રિય કેસનું ભારણ આજે 3,92,864 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.191% છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,26,056 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 53.31 કરોડથી વધારે (53,31,89,348) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 74 દિવસોથી 2.56% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.05%છે. છેલ્લા 8 દિવસથી 3% કરતા ઓછો અને સતત 92 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

SD/GP/BT
                
                
                
                
                
                (Release ID: 1752731)
                Visitor Counter : 267