સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે અત્યાર સુધીમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુ રસીઓ આપીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 62 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 97.56%
છેલ્લા 24 કલાકમાં 46,759 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,59,775) કુલ કેસનાં 1.10% થયા
દૈનિક પોઝિટિવિટી દર (2.66%) 33 દિવસથી 3% કરતા ઓછો
Posted On:
28 AUG 2021 9:45AM by PIB Ahmedabad
ભારતે અત્યાર સુધીમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુ રસીઓ આપીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 62.29 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 67,19,042 સત્રોનું આયોજન કરીને રસીના 1,03,35,290 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,56,871
|
બીજો ડોઝ
|
83,25,399
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,16,341
|
બીજો ડોઝ
|
1,29,59,237
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
23,84,30,359
|
બીજો ડોઝ
|
2,46,73,492
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
12,80,70,436
|
બીજો ડોઝ
|
5,23,07,413
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
8,57,02,692
|
બીજો ડોઝ
|
4,38,46,894
|
કુલ
|
62,29,89,134
|
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,18,52,802 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 31,374 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.56% થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 46,759 નવા કેસ નોંધાયા છે.
62 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
સક્રિય કેસનું ભારણ આજે 3,59,775 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.10% થયા.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,61,110 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 51.68 કરોડથી વધારે (51,68,87,602) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.19% છે જે છેલ્લા 64 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.66% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 33 દિવસથી 3%થી ઓછો અને 82 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.
SD/GP/BT
(Release ID: 1749825)
Visitor Counter : 199