સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 58.24 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં (97.63%) માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 25,072 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,33,924), 155 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

દૈનિક પોઝિટિવિટી દર (1.94%) 28 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 23 AUG 2021 11:50AM by PIB Ahmedabad

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 58.25 કરોડ (58,25,49,595) ને વટાવી ગયું છે. આ સિદ્ધિ 64,69,222 સત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.આમાં સામેલ છે:

આજે સવારે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,53,405

બીજો ડોઝ

                 82,15,000

FLWs

પ્રથમ ડોઝ

1,83,04,397

બીજો ડોઝ

1,25,74,264

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

21,69,00,386

બીજો ડોઝ

1,94,77,956

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,26,16,599

બીજો ડોઝ

4,87,88,970

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,33,38,747

બીજો ડોઝ

4,19,79,871

કુલ

58,25,49,595

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,16,80,626 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 44,157 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.63% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZZ82.jpg

53 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 25,072 નવા કેસ નોંધાયા છે, જે 160માં સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SYYI.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,33,924 છે. 155 દિવસમાં સૌથી ઓછુ નોંધાયું, સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GYF0.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,95,160 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 50.75 કરોડથી વધારે (50,75,51,399) પરીક્ષણો કરવામાં આવ્યા છે.   

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.91% છે જે છેલ્લા 59 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.94% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 28 દિવસથી 3% થી ઓછો અને 77 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004X4V3.jpg

SD/GP/BT



(Release ID: 1748176) Visitor Counter : 231