પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 9 ઓગસ્ટે પીએમ-કિસાનનો આગામી હપ્તો બહાર પાડશે
Posted On:
07 AUG 2021 1:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો બહાર પાડશે. આ 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ હસ્તાંતરણ કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
પીએમ-કિસાન વિશે:
પીએમ-કિસાન યોજના હેઠળ લાયક લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000/- રૂપિયાના નાણાકીય લાભ આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂપિયા 2000/- ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવાપાત્ર છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની સમ્માન રાશિ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743551)
Visitor Counter : 449
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam