પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના પૂરમાં મૃત્યુ પામેલા લોકો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય જાહેર કરી

Posted On: 04 AUG 2021 8:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પૂરના લીધે જીવ ગુમાવનારા લોકોના નજીકના સ્વજન માટે રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. તેમણે ઈજાગ્રસ્તો માટે પણ રૂ. 50000ની સહાય જાહેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટમાં કહ્યું, “પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પૂરના લીધે જીવ ગુમાવનારા દરેક લોકોના નજીકના સ્વજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂ. 50000 આપવામાં આવશે.”

SD/GP/JD


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1742548) Visitor Counter : 228