પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે વાત કરી
Posted On:
04 AUG 2021 1:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ડેમમાંથી પાણી છોડવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને હળવી કરવામાં મદદ માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી પણ આપી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, "PM @narendramod એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી @MamataOfficial સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ડેમમાંથી પાણી છોડવાના કારણે પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને હળવી કરવામાં મદદ માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રી મોદી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1742240)
Visitor Counter : 196
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam