પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્ર સરકાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે મધ્ય પ્રદેશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે: પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 04 AUG 2021 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે જેથી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરી શકાય. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશ સરકાર સાથે મળીને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહી છે. મેં મુખ્યમંત્રી @ChouhanShivraj સાથે વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1742237) મુલાકાતી સંખ્યા : 280