માહિતી અને પ્રસારણ મંત્રાલય
શ્રી અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
08 JUL 2021 12:04PM by PIB Ahmedabad
શ્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા સાત વર્ષમાં દેશને આગળ વધારવા માટે કઠિન પ્રયાસો કર્યા છે અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે આ મિશનને આગળ વધારવાની તેમની જવાબદારી રહેશે. શ્રી ઠાકુરે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રીએ આપેલી જવાબદારીઓ નિભાવવા તમામ પ્રયત્નો કરશે અને તેઓ આગળ જતા મીડિયાના સહયોગની રાહ જોશે.
મંત્રીશ્રીનું તેમની ચેમ્બરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ મીડિયા એકમો અને પ્રસાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીતમાં શ્રી ઠાકુરે કહ્યું કે એક મીડિયા તરીકે તમામ મીડિયા પ્રમુખો સાથે એક ટીમની જેમ કામ કરવાનો તેમનો પ્રયાસ રહેશે.



SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1733597)
आगंतुक पटल : 321
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam