સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં દૈનિક 40,000 કરતા ઓછા નવા કેસ નોંધાયા


4,82,071 સાથે ભારતનો સક્રિય કેસલોડ વધુ ઘટ્યો; કુલ કેસના 1.58%

ભારતમાં કોવિડ -19 રસીકરણનું કવરેજ 35.28 કરોડથી વધુ

દૈનિક પોઝીટીવીટી દર (2.61%) સતત 28 દિવસથી 5% કરતા ઓછો

Posted On: 05 JUL 2021 11:53AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 40,000 (39,796) કરતા ઓછા નવા કેસ નોંધાયા છે.

આઠ દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JLL7.jpg

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,82,071 છે.

છેલ્લા 24 કલાકમાં 3,279 નો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.58% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00272F1.jpg

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 35.28 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 46,34,986 સત્રોનું આયોજન કરીને રસીના 35,28,92,046 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 14,81,583 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,02,29,388

બીજો ડોઝ

73,13,234

FLWs

પ્રથમ ડોઝ

1,75,86,200

બીજો ડોઝ

96,69,322

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,07,24,211

બીજો ડોઝ

27,77,265

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

9,07,90,116

બીજો ડોઝ

1,89,54,073

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,89,93,767

બીજો ડોઝ

2,58,54,470

કુલ

33,57,16,019

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

કોવિડ-19થી વધુ લોકો સ્વસ્થ થઇ રહ્યા હોવાથી ભારતમાં દૈનિક સાજા થવાની સંખ્યામાં પણ સતત 53માં દિવસે વધારો યથાવત છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 42,352 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032KBK.jpg

દૈનિક નવા કેસની તુલનામાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,000થી વધુ (2,556) સાજા થયેલા લોકોની સંખ્યા નોંધાઈ હતી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049VHH.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 2,97,00,430 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 42,352 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.11% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IR0F.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,22,504 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 41.97 કરોડથી વધારે (41,97,77,457) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.40% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.61% નોંધાયો છે. સળંગ 28 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V8KW.jpg

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732778) Visitor Counter : 283