સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ વધીને 34.46 કરોડ થયું છે
સતત છ દિવસથી 5૦,૦૦૦ કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા
97 દિવસ પછી ભારતનો સક્રિય કેસલોડ 5 લાખથી ઓછો
દૈનિક પોઝિટિવિટી દર (2.35%) સતત 26 દિવસ થી 5% કરતા ઓછો
Posted On:
03 JUL 2021 10:38AM by PIB Ahmedabad
એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 34 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 45,60,088 સત્રોનું આયોજન કરીને રસીના 34,46,11,291 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 43,99,298 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
1st Dose
|
1,02,22,008
|
2nd Dose
|
72,87,445
|
FLWs
|
1st Dose
|
1,75,60,592
|
2nd Dose
|
95,89,619
|
Age Group 18-44 years
|
1st Dose
|
9,64,91,993
|
2nd Dose
|
23,80,048
|
Age Group 45-59 years
|
1st Dose
|
8,98,65,131
|
2nd Dose
|
1,75,25,281
|
Over 60 years
|
1st Dose
|
6,86,03,725
|
2nd Dose
|
2,50,85,449
|
Total
|
34,46,11,291
|
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 44,111 કેસ નોંધાયા છે.
સળંગ 6 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 50 હજાર કરતાં ઓછી નોંધાઇ છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.

ભારતમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 4,95,533નોંધાયું છે, 97 દિવસ પછી 5 લાખથી ઓછા.
છેલ્લા 24 કલાકમાં 14,104 દર્દીઓનો ચોખ્ખા ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 1.62% રહી છે.

વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 51મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 57,477 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 13,000 (13,366) વધારે છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,96,05,779 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 57,477દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.06% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,76,036 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 41.64 કરોડથી વધારે (41,64,16,463) પરીક્ષણો કરવામાં આવ્યા છે..
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.50% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.35% નોંધાયો છે. સળંગ 26 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732519)
Visitor Counter : 328
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam