સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં રોજિંદા કેસ 81 દિવસ પછી ઘટીને 60,000થી ઓછા નોંધાયા, છેલ્લા 24 કલાકમાં નવા 58,419 કેસો નોંધાયા


એક્ટિવ કેસ લોડ ઘટીને 7,29,243 થયો


સતત 38મા દિવસે બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ


સાજા થવાનો દર સતત વધીને 96.27% થયો


દૈનિક પોઝિટીવિટી દર 3.22%, સતત 13 દિવસથી પોઝિટીવિટી દર 5% કરતાં ઓછો નોંધાય છે

Posted On: 20 JUN 2021 10:11AM by PIB Ahmedabad

ભારતમાં નોંધપાત્ર રીતે, 81 દિવસ પછી દૈનિક નવા કોવિડ કેસો 60000થી ઓછા નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 58,419 કેસ નોંધાયા છે. રોજિંદા નવા કોવિડ-19 કેસોમાં સતત ઘટાડો ભારતમાં યથાવત્ રહ્યો છે.

 

દેશમાં 13મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZJ0X.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 7,29,243 નોંધાયું છે.

 

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 30,776 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 2.44% રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HLJN.jpg

 

ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 38 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 87,619 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 29000 (29,200) જેટલી વધારે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E8SZ.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,87,66,009 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 87,619 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 96.27% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00444NT.jpg

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,11,446 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 39.10 કરોડ જેટલો (39,10,19,083) થઇ ગયો છે.

 

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 3.43% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.22% નોંધાયો છે. સતત 12 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005P0D8.jpg

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 37,48,147 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 27,66,93,572 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 38,10,554 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાં શામેલ છે:

 

 

HCWs

1st Dose

1,01,19,241

2nd Dose

70,65,889

FLWs

પ્રથમ ડોઝ

1,71,08,593

બીજો ડોઝ

90,32,813

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

5,42,21,110

બીજો ડોઝ

12,27,088

45 થી 59 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,98,16,559

બીજો ડોઝ

1,26,54,117

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,44,21,583

બીજો ડોઝ

2,10,26,579

કુલ

27,66,93,572

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728760) Visitor Counter : 247