પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી બુદ્ધ પૂર્ણિમાના અવસરે વર્ચ્યુઅલ વેસક વૈશ્વિક ઉજવણી પ્રસંગે મહત્વપૂર્ણ સંબોધન કરશે

Posted On: 25 MAY 2021 6:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસરે એટલે કે 26 મે, 2021ના રોજ વર્ચ્યુઅલ વેસક વૈશ્વિક ઉજવણી પ્રસંગે સવારે 9.45 વાગ્યા આસપાસ મહત્વપૂર્ણ સંબોધન કરશે.

આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન (આઈબીસી) સાથેના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરાશે અને તેમાં બૌદ્ધ સંઘના સર્વોચ્ચ વડાઓ વિશ્વભરમાંથી સામેલ થશે. વિશ્વભરમાંથી 50થી વધુ અગ્રણી બૌદ્ધ ધર્મના નેતાઓ ધર્મસમાજને સંબોધન કરશે.

SD/GP/JD



(Release ID: 1721751) Visitor Counter : 200