પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એટમિક એનર્જી કમિશનના પૂર્વ અધ્યક્ષ ડો. શ્રીકુમાર બેનરજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Posted On: 23 MAY 2021 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એટમિક એનર્જી કમિશનના પૂર્વ અધ્યક્ષ ડો. શ્રીકુમાર બેનરજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘ડો. શ્રીકુમાર બેનરજીને ભારતીય વિજ્ઞાનમાં તેમના અગ્રિમ યોગદાન માટે અને ખાસ કરીને એટમિક એનર્જી તથા મેટલર્જીના ક્ષેત્રે યોગદાન માટે યાદ રાખવામાં આવશે. તેઓ એક આદર્શ વ્યક્તિ તથા સંસ્થાકીય માળખાના નિર્માતા હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવારને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD



(Release ID: 1721168) Visitor Counter : 180