રસાયણ અને ખાતર મંત્રાલય

રેમડેસિવીર પર કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવીઃ શ્રી ડી. વી. સદાનંદ ગૌડા

Posted On: 21 APR 2021 11:30AM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે કે ફાર્માસ્યુટિકલ્સ વિભાગની ભલામણ પર તત્કાળ આવશ્યકતા પર વિચારણા કરીને મહેસૂલ વિભાગે રેમડેસિવીર અને તેના એપીઆઈ/કેએસએમ પર કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે આ કદમ રેમડેસિવીર ઈન્જેક્શનની ઘરેલુ ઉપલબ્ધતામાં વધુ વધારો કરશે.

 

 

 

 

 

 

***************

SD/GP/JD/PC



(Release ID: 1713184) Visitor Counter : 217