સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોમાં મોટી સંખ્યામાં વધારો


દેશમાં રસીકરણ કવરેજનો આંકડો 6 કરોડથી વધારે થયો

Posted On: 29 MAR 2021 11:17AM by PIB Ahmedabad

મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢ આ આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. દેશમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 84.5% કેસ આ રાજ્યોમાં છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 68,020 કેસ પોઝિટીવ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સમગ્ર દેશમાં સૌથી વધુ 40,414 કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં નવા 3,082 જ્યારે પંજાબમાં નવા 2,870 કેસ એક દિવસમાં નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DG9L.jpg

                                          

નીચે દર્શાવ્યા અનુસાર, દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00200HA.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031T6G.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 5,21,808 નોંધાયું છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 4.33% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 35,498 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.

દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 80.17% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043IEY.jpg

 

સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (8,724) કરતાં ઓછી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005JYX1.jpg

 

ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006BS0B.jpg

 

 

બીજી તરફ, ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કુલ રસીકરણ કવરેજ 6 કરોડનો આંકડો ઓળંગી ગયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 9,92,483 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.05 કરોડ (6,05,30,435) થી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 81,56,997 HCWs (પ્રથમ ડોઝ), 51,78,065 HCWs (બીજો ડોઝ), 89,12,113 FLWs (પથમ ડોઝ) અને 36,92,136 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 67,31,223 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,78,59,901 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

81,56,997

51,78,065

89,12,113

36,92,136

67,31,223

2,78,59,901

6,05,30,435

 

 

ભારતમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076QDN.jpg

 

ભારતમાં રસીકરણ કવાયતના 72મા દિવસે (28 માર્ચ 2021) રસીના કુલ 2,60,653 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 7,465 સત્રોનું આયોજન કરીને 2,18,798 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 41,855 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

 

તારીખ:28 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

4,189

2,468

22,067

39,387

57,561

1,34,981

2,18,798

41,855

 

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,13,55,993 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 94.32% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 32,231 દર્દીઓ સાજા થઇ ગયા છે.

દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 17,874 દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે.

 

છેલ્લા 24 કલાકમાં વધુ 291 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 81.79% દર્દીઓ સાત રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (108) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 69 દર્દીનાં મૃત્યુ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008TK5B.jpg

 

અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ (117) કરતાં ઓછો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009K9KE.jpg

 

તેવી જ રીતે, અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0100IL6.jpg

 

પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD

 



(Release ID: 1708263) Visitor Counter : 207