સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશભરમાં આશરે 2400 પરીક્ષણ પ્રયોગશાળાઓ સાથે ભારતમાં કુલ 21.15 કરોડ કોવિડ પરીક્ષણ થયા


ભારતમાં રસીના કુલ 1.11 કરોડ ડોઝ આપવામાં આવ્યાં

છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડનાં કારણે એક પણ મૃત્યુ ન થયું; 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ નવો કેસ નહીં

Posted On: 22 FEB 2021 1:04PM by PIB Ahmedabad

ભારતે કોવિડ-19ના કુલ પરીક્ષણો કરવાનો રેકોર્ડ કર્યો છે. દેશમાં કોવિડ સાથે સંબંધિત ટેસ્ટનો આંકડો કુલ 21.15 કરોડ (21,15,51,746)ને આંબી ગયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેશમાં 6,20,216 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

ટેસ્ટિંગના આંકડામાં મોટા વધારામાં રાષ્ટ્રવ્યાપી ધોરણે ટેસ્ટિંગની માળખાગત સુવિધામાં વધારાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દેશમાં 1,220 સરકારી પ્રયોગશાળાઓ અને 1,173 ખાનગી પ્રયોગશાળાઓ સાથે કુલ 2393 પ્રયોગશાળાઓ સાથે દૈનિક ધોરણે કોવિડ-19 સાથે સંબંધિત પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

અત્યારે ભારતનો રાષ્ટ્રીય સ્તરે કુલ પોઝિટિવિટી રેટ 5.20 ટકા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019SM8.jpg

દરરોજ મિલિયનદીઠ પરીક્ષણ થતા લાભાર્થીઓની સંખ્યામાં સતત અને સાતત્યપૂર્ણ રીતે વધારો જોવા મળ્યો છે. ભારતમાં આજે મિલિયનદીઠ 1,53,298.4 ટેસ્ટ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QP0E.jpg

 

આજે સવારે 8 વાગે પ્રાપ્ત થયેલા કામચલાઉ અહેવાલ મુજબ, 22 ફેબ્રુઆરી, 2021ના રોજ દેશમાં 2,32,317 સત્રો દ્વારા રસીના 1,11,16,854 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં 63,97,849 HCWs (પ્રથમ ડોઝ), 9,67,852 HCWs (બીજો ડોઝ) અને 37,51,153 FLWs (પ્રથમ ડોઝ) સામેલ છે..

કોવિડ-19 રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી, જે અંતર્ગત પ્રથમ ડોઝ મેળવનાર અને એને 28 દિવસ પૂર્ણ કરનાર લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવે છે. FLWsના રસીકરણની શરૂઆત 2 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી.

ક્રમ

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસીકરણ પ્રાપ્ત કરેલા લાભાર્થીઓ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

કુલ ડોઝ

1

આંદમાન અને નિકોબાર ટાપુઓ

4,846

1,306

6,152

2

આંધ્રપ્રદેશ

4,13,678

89,645

5,03,323

3

અરુણાચલ પ્રદેશ

19,702

4,041

23,743

4

અસમ

1,54,754

11,050

1,65,804

5

બિહાર

5,22,811

39,046

5,61,857

6

ચંદીગઢ

12,953

795

13,748

7

છત્તીસગઢ

3,41,251

20,699

3,61,950

8

દાદર અને નગરહવેલી

4,939

244

5,183

9

દમણ અને દીવ

1,735

213

1,948

10

દિલ્હી

2,94,081

17,329

3,11,410

11

ગોવા

15,070

1,113

16,183

12

ગુજરાત

8,22,193

60,925

8,83,118

13

હરિયાણા

2,08,308

23,987

2,32,295

14

હિમાચલપ્રદેશ

95,105

12,092

1,07,197

15

જમ્મુ અને કાશ્મીર

2,00,695

6,731

2,07,426

16

ઝારખંડ

2,54,531

11,484

2,66,015

17

કર્ણાટક

5,41,332

1,14,043

6,55,375

18

કેરળ

3,99,284

38,829

4,38,113

19

લડાખ

5,827

600

6,427

20

લક્ષદ્વીપ

1,809

115

1,924

21

મધ્યપ્રદેશ

6,40,805

3,778

6,44,583

22

મહારાષ્ટ્ર

8,78,829

47,637

9,26,466

23

મણિપુર

40,215

1,711

41,926

24

મેઘાલય

23,877

629

24,506

25

મિઝોરમ

14,627

2,241

16,868

26

નાગાલેન્ડ

21,526

3,909

25,435

27

ઓડિશા

4,38,127

94,966

5,33,093

28

પુડુચેરી

9,251

853

10,104

29

પંજાબ

1,22,527

14,269

1,36,796

30

રાજસ્થાન

7,82,701

38,358

8,21,059

31

સિક્કિમ

11,865

700

12,565

32

તમિલનાડુ

3,39,686

31,160

3,70,846

33

તેલંગાણા

2,80,973

87,159

3,68,132

34

ત્રિપુરા

82,369

11,587

93,956

35

ઉત્તરપ્રદેશ

10,66,290

85,752

11,52,042

36

ઉત્તરાખંડ

1,31,384

7,166

1,38,550

37

પશ્ચિમ બંગાળ

6,39,252

49,912

6,89,164

38

અન્ય

3,09,794

31,778

3,41,572

કુલ

1,01,49,002

9,67,852

1,11,16,854

 

રસીકરણ અભિયાનના 37મા દિવસ (21 ફેબ્રુઆરી, 2021) રસીના કુલ 31,681 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં રસીના પ્રથમ ડોઝ માટે 1,429 સેશનમાં 24,471 લાભાર્થીઓ (HCWs અને FLWs)નું રસીકરણ થયું હતું અને 7,210 HCWsને રસીને બીજો ડોઝ મળ્યો હતો.

રસીના કુલ 1,11,16,854 ડોઝમાંથી રસીનો પ્રથમ ડોઝ 1,01,49,002 (HCWs અને FLWs)ને મળ્યો હતો અને રસીનો બીજો ડોઝ કુલ 9,67,852 HCWsને મળ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UP3L.jpg

 

રસીના કુલ ડોઝમાંથી 60.17 ટકા રસી 7 રાજ્યોમાં આપવામાં આવી છે. એકલા કર્ણાટકમાં રસીના 11.8 ટકા ડોઝ (1,14,043 ડોઝ) આપવામાં આવ્યાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZUCK.jpg

ભારતમાં આજ સુધીમાં કુલ 1.06 કરોડ (1,06,99,410) દર્દીઓ સાજાં થયાં હતાં. દર્દીઓનો સાજાં થવાનો દર 97.22 ટકા છે. સક્રિય દર્દીઓ કરતાં સાજાં થયેલા દર્દીઓની સંખ્યા 1,05,49,355 (71.3 ગણી) વધારે હતી.

છેલ્લા 24 કલાક દરમિયાન 9,695 દર્દીઓ સાજાં થયાં હતાં અને તેમને રજા મળી હતી.

સાજાં થયેલા નવા દર્દીઓમાં 80.86 ટકા દર્દીઓ 5 રાજ્યોનાં છે.

છેલ્લાં 24 કલાકમાં કેરળમાં 4,345 દર્દીઓ સાજાં થયાં હતાં, જે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ સાજાં થયેલા દર્દીઓનો રેકોર્ડ છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં 2,417 દર્દીઓ અને તમિલનાડુમાં 460 દર્દીઓ સાજાં થયાં હતાં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0054WFB.jpg

 

આજે દેશમાં સક્રિય કેસનું ભારણ 1.50 લાખ (1,50,555) છે. ભારતના કુલ પોઝિટિવ કેસમાં અત્યારે સક્રિય કેસનું ભારણ 1.36 ટકા છે. છેલ્લાં 24 કલાકમાં 14,199 નવા કેસ નોંધાયા છે.

છેલ્લાં 24 કલાકમાં સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ નવો કેસ બહાર આવ્યો નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – ઉત્તરાખંડ, લડાખ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, દાદર અને નગરહવેલી તથા દીવ અને દમણ, આંદમાન અને નિકોબાર ટાપુઓ.

કુલ નવા કેસોમાં 86.3 ટકા કેસો 5 રાજ્યોમાં બહાર આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,971 નવા કેસ બહાર આવ્યાં છે, જેના પગલે રાજ્યે દૈનિક ધોરણે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્ય તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારબાદ કેરળમાં 4,070 અને તમિલનાડુમાં 452 નવા કેસ બહાર આવ્યાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006X309.jpg

છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – હરિયાણા, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઓડિશા, ગોવા, ચંદીગઢ, અસમ, મણિપુર, સિક્કિમ, લક્ષદ્વીપ, ત્રિપુરા, નાગાલેન્ડ, લડાખ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલી, આંદમાન અને નિકોબાર ટાપુઓ.

છેલ્લા 24 કલાકમાં 83 મૃત્યુ થયા હતા.

નવા મૃત્યુમાં પાંચ રાજ્યોમાં 78.31 ટકા થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35 મૃત્યુ થયા હતા. કેરળમાં 15 મૃત્યુ નોંધાયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007T7Y3.jpg

 

SDGP/JD



(Release ID: 1699900) Visitor Counter : 237