સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નવા કેસમાં વધારો જોવા મળ્યો


કોવિડ-19 સામે 1.07 કરોડથી વધારે લોકોને રસી મૂકવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડને કારણે કોઈ નવું મૃત્યુ થયું નથી

Posted On: 20 FEB 2021 12:27PM by PIB Ahmedabad

ભારતના કુલ પોઝિટિવ કેસમાં સક્રિય કેસનું ભારણ અત્યારે 1.30 ટકા છે. આજે ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ 1,43,127 છે. કેટલાંક રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધતા કેસમાં વધારો જોવા મળ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તસગઢ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કેસમાં વધારો થયો છે.

કેરળમાં દરરોજ નોંધાતા કેસમાં સૌથી વધુ વધારો જળવાઈ રહ્યો છે.

છેલ્લાં 7 દિવસ દરમિયાન છત્તસગઢમાં પણ રોજિંદા ધોરણે નોંધાતા નવા કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 259 નવા કેસ નોંધાયા છે.

ગત અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે, જે આજે દેશમાં નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ કેસો ધરાવે છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 6,112 નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ છેલ્લાં 7 દિવસ દરમિયાન દૈનિક ધોરણે નવા કેસોમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં છેલ્લાં 24 કલાકમાં 383 નવા કેસ નોંધાયા છે.

મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરી, 2021થી અત્યાર સુધી દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો જોવા મળે છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 297 નવા કેસ નોંધાયા છે.

વાયરસના સંક્રમણની સાંકળ તોડવા માટે અને રોગનો ફેલાવો અટકાવવા માટે કોવિડની આચારસંહિતા અને નીતિનિયમોનું કડકપણે પાલન કરવું જરૂરી છે.

જોકે શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ અને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ (પરીક્ષણ-નજર-સારવાર)ની પદ્ધતિ સાથે દેશમાં 21 કરોડથી વધારે (21,02,61,480) પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે. છેલ્લાં 13 દિવસ દરમિયાન દેશનો કુલ પોઝિટિવિટી રેટ (પરીક્ષણમાં કેસ પોઝિટિવ આવવાનો દર) સતત ઘટી રહ્યો છે. અત્યારે આ દર 5.22 ટકા છે.

આજે સવારે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધી 2,22,313 સેશન દ્વારા રસીના કુલ 1,07,15,204 ડોઝ આપવામાં આવ્યાં છે. એમાં 63,28,479 HCWs (પ્રથમ ડોઝ), 8,47,161 HCWs (બીજો ડોઝ) અને 35,39,564 FLWs (પ્રથમ ડોઝ) સામેલ છે.

કોવિડ-19  રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી, જે અંતર્ગત પ્રથમ ડોઝ મેળવનાર અને 28 દિવસ પૂર્ણ થયા હોય એવા લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવે છે. FLWsનું રસીકરણ 2 ફેબ્રુઆરી, 2021થી શરૂ થયું હતું.

ક્રમ

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસીકરણ મેળવેલા લાભાર્થીઓ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

કુલ ડોઝ

 

1

આંદમાન અને નિકોબાર ટાપુઓ

4,453

895

5,348

 

 

2

આંધ્રપ્રદેશ

3,98,108

71,707

4,69,815

 

 

3

અરુણાચલ પ્રદેશ

19,608

3,951

23,559

 

 

4

અસમ

1,47,368

10,164

1,57,532

 

 

5

બિહાર

5,15,363

35,070

5,50,433

 

 

6

ચંદીગઢ

12,100

547

12,647

 

 

7

છત્તીસગઢ

3,30,446

16,104

3,46,550

 

 

8

દાદર અને નગરહવેલી

4,801

169

4,970

 

 

9

દમણ અને દીવ

1,672

153

1,825

 

 

10

દિલ્હી

2,72,322

12,978

2,85,300

 

 

11

ગોવા

14,386

634

15,020

 

 

12

ગુજરાત

8,19,060

37,597

8,56,657

 

 

13

હરિયાણા

2,05,616

21,093

2,26,709

 

 

14

હિમાચલપ્રદેશ

92,702

71,322

1,64,024

 

 

15

જમ્મુ અને કાશ્મીર

1,89,840

5,282

1,95,122

 

 

16

ઝારખંડ

2,46,213

10,522

2,56,735

 

 

17

કર્ણાટક

5,29,968

99,452

6,29,420

 

 

18

કેરળ

3,92,993

32,060

4,25,053

 

 

19

લડાખ

5,005

358

5,363

 

 

20

લક્ષદ્વીપ

1,809

115

1,924

 

 

21

મધ્યપ્રદેશ

6,26,391

0

6,26,391

 

 

22

મહારાષ્ટ્ર

8,31,921

28,465

8,60,386

 

 

23

મણિપુર

38,585

1,434

40,019

 

 

24

મેઘાલય

22,285

616

22,901

 

 

25

મિઝોરમ

14,428

2,206

16,634

 

 

26

નાગાલેન્ડ

20,603

3,419

24,022

 

 

27

ઓડિશા

4,33,584

68,129

5,01,713

 

 

28

પુડુચેરી

8,481

645

9,126

 

 

29

પંજાબ

1,20,015

9,455

1,29,470

 

 

30

રાજસ્થાન

7,80,665

19,054

7,99,719

 

 

31

સિક્કિમ

11,102

698

11,800

 

 

32

તમિલનાડુ

3,24,537

25,746

3,50,283

 

 

33

તેલંગાણા

2,80,277

86,051

3,66,328

 

 

34

ત્રિપુરા

81,042

11,134

92,176

 

 

35

ઉત્તરપ્રદેશ

10,66,290

85,752

11,52,042

 

 

36

ઉત્તરાખંડ

1,29,221

6,231

1,35,452

 

 

37

પશ્ચિમ બંગાળ

6,09,987

40,989

6,50,976

 

 

38

અન્ય

2,64,796

26,964

2,91,760

 

 

કુલ

98,68,043

8,47,161

1,07,15,204

 

                     

 

રસીકરણ અભિયાનના 35મા દિવસ (20 ફેબ્રુઆરી, 2021) સુધી રસીના કુલ 5,27,197 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં રસીના પ્રથમ ડોઝ માટે 10,851 સેશનમાં 2,90,935 લાભાર્થીઓ (HCWs અને FLWs)નું રસીકરણ થયું હતું અને 2,36,262 HCWsને રસીને બીજો ડોઝ મળ્યો હતો.

દેશના 9 રાજ્યો 5-5 લાખથી વધારે રસી આપી છે. આ રાજ્યો છે – ઉત્તરપ્રદેશ (11,52,042), મહારાષ્ટ્ર (8,60,386), ગુજરાત (8,56,657), રાજસ્થાન (7,99,719), પશ્ચિમ બંગાળ (6,50,976), કર્ણાટક (6,29,420), મધ્યપ્રદેશ (6,26,391), બિહાર (5,50,433) અને ઓડિશા (5,01,713).

અત્યાર સુધી દેશમાં કુલ 1.06 કરોડ (1,06,67,741) દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 10,307 દર્દીઓ સાજાં થયા છે અને એમને હોસ્પિટલમાંથી રજા મળી છે. ભારતમાં દર્દીનો કુલ સાજાં થવાનો દર 97.27 ટકા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

કુલ નવા સાજાં થયેલા કેસમાં 80.51 ટકા કેસ 6 રાજ્યોના છે.

કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 4,854 દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,159 દર્દીઓ અને તમિલનાડુમાં 467 દર્દીઓ સાજાં થયા છે.

86.69 ટકા નવા કેસ 6 રાજ્યોમાંથી બહાર આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે 6,112 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાવાનું જળવાઈ રહ્યું છે. પછી કેરળમાં 4,505 અને તમિલનાડુમાં 448 નવા કેસ બહાર આવ્યાં છે. ફક્ત બે રાજ્યો – મહારાષ્ટ્ર અને કેરળ કુલ સક્રિય કેસમાં 75.87 ટકા હિસ્સો ધરાવે છે.

છેલ્લાં 24 કલાકમાં 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – તેલંગાણા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, હિમાચલપ્રદેશ, ત્રિપુરા, અસમ, ચંદીગઢ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, લડાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલી.

છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ને કારણે 101 દર્દીઓનાં મૃત્યુ થયા છે.

નવા મૃત્યુમાં પાંચ રાજ્યો 78.22 ટકા હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (44) મૃત્યુ થયા છે, કેરળમાં 15 મૃત્યુ નોંધાયા છે. પંજાબમાં 8 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

 



(Release ID: 1699655) Visitor Counter : 195