નાણા મંત્રાલય

રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન માટે આગામી પાંચ વર્ષ માટે રૂ. 50,000 કરોડના ખર્ચની દરખાસ્ત


ચૂકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા યોજના માટે રૂ. 1,500 કરોડનો પ્રસ્તાવ

પ્રમુખ ભારતીય ભાષાઓમાં શાસન અને નીતિ સંબંધિત જ્ઞાન રૂપી ભંડારનું ડિજિટલીકરણ કરવા માટે રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન

ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડના પીએસએલવી-સીએસ 51 દ્વારા ભારતીય ઉપગ્રહો સાથે બ્રાઝિલિયન એમેઝોનીયા ઉપગ્રહનો પ્રારંભ; 2021 ડિસેમ્બર સુધીમાં ગગનયાન મિશન શરૂ કરવાની યોજના છે

પાંચ વર્ષ માટે ઉંડા મહાસાગર અભિયાન માટે 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ

Posted On: 01 FEB 2021 1:41PM by PIB Ahmedabad

સમગ્ર સંશોધન મશીનરીને મજબુત બનાવવા અને નવીનતા તેમજ દેશમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય બજેટ 2021-22માં અનેક મહત્વપૂર્ણ પહેલની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે ડિજિટલ ચુકવણી, અવકાશ ક્ષેત્ર અને ઉંડા મહાસાગર સંશોધન સહિતની વિવિધ મહત્વપૂર્ણ પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન

નાણાં મંત્રીએ રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન માટે આગામી પાંચ વર્ષ માટે રૂ. 50,000 કરોડના ખર્ચનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "આ ઓળખાયેલા રાષ્ટ્રીય-અગ્રતાવાળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં એકંદર સંશોધન પ્રણાલીને મજબૂત બનાવવાનો માર્ગ સુનિશ્ચિત કરશે."

ડિજિટલ ચુકવણીમાં વધારો

શ્રીમતી સીતારમણે ગૃહને માહિતી આપી કે ભૂતકાળમાં ડિજિટલ પેમેન્ટમાં અનેકગણો વધારો થયો છે અને આગળ પણ તે જ ગતિ જાળવવાની જરૂર હતી. આ માટે, એક યોજના માટે 1,500 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે, જેના દ્વારા ચુકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા અને આગામી ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન

રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન (એનટીએલએમ) તરીકે ઓળખાતી નવી પહેલની દરખાસ્ત કરવામાં આવી છે જેનાથી ઇન્ટરનેટ પર શાસન અને નીતિ સંબંધિત જ્ઞાનરૂપી ભંડારનું ડિજિટલીકરણ કરવાની સાથે સાથે એક મુખ્ય ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવાશે.

ભારતીય અવકાશ ક્ષેત્ર

મંત્રીશ્રીએ સદનમાં માહિતી આપી હતી કે અંતરિક્ષ વિભાગ અંતર્ગત એક જાહેર ક્ષેત્રના એકમ ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) કેટલાક ભારતીય નાના ઉપગ્રહો સાથે બ્રાઝિલના ઉપગ્રહ એમેઝોનીયાને પીએસએલવી-સીએસ 51ના માધ્યમથી લોન્ચ કરશે. ગગનયાન મિશન માટે રશિયામાં ચાર ભારતીય અવકાશયાત્રીઓને સામાન્ય અંતરિક્ષ ઉડાનના પરિમાણો માટે પણ તાલીમ આપવામાં આવી રહી છે, જેનું ડિસેમ્બર 2021માં લોકાર્પણ કરવાનું આયોજન છે.

ઉંડા મહાસાગરનું અભિયાન

મહાસાગરની ક્ષમતાને વધુ સારી રીતે સમજવા માટે શ્રીમતી સીતારમણે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 4,000 કરોડથી વધુના બજેટ ખર્ચ સાથે ઉંડા મહાસાગર મિશનની શરૂઆત કરવાની દરખાસ્ત કરી છે. આ મિશનના ભાગરૂપે, ઉંડા મહાસાગરમાં સર્વેક્ષણ સંશોધન અને જૈવવિવિધતા સંરક્ષણની પરિયાજોનાઓનો  સમાવેશ કરવામાં આવશે.

 



(Release ID: 1694127) Visitor Counter : 249