સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા માટેની SOP બહાર પાડી

Posted On: 02 DEC 2020 2:03PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશમાં કોવિડ-19ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે નિવારાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા માટેની પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓ (SOP) બહાર પાડવામાં આવી છે. તે નીચે દર્શાવ્યા અનુસાર છે:

1. પૃષ્ઠભૂમિ

ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદી મનોરંજન અને ભોજન જેવી દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે બજાર સ્થળોની મુલાકાતો લેતા હોય છે તે તથ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા માટે ચોક્કસ પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે. કોવિડ મહામારી વચ્ચે, તબક્કાવાર આર્થિક પ્રવૃત્તિઓ, બજારો ફરી શરૂ થઇ રહ્યાં હોવાથી મોટી સંખ્યામાં લોકો આવા સ્થળોએ આવી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય ત્યાં, કોવિડ-19ને રોકાવા માટે યોગ્ય આચરણના પાલન વગર કોરોના વાયરસ બીમારી ફેલાવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.

2. અવકાશ

આ દસ્તાવેજમાં વિવિધ સામાન્ય પગલાંઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ કેટલાક ચોક્કસ પગલાં ઉમેરવામાં આવ્યા છે જેનું કોવિડ-19નો ફેલાવો સુનિશ્ચિતપણે નિયંત્રણમાં રાખવા માટે બજારના સ્થળોએ પાલન કરવું જરૂરી છે. આ માર્ગદર્શિકા તમામ છુટક અને જથ્થાબંધ બંને પ્રકારના બજારો માટે લાગુ થવા પાત્ર રહેશે. કેટલાક મોટા બજારોમાં મોલ/ હાઇપર/ સુપરમાર્કેટ પણ તેમાં સામેલ હોઇ શકે છે.

આવી જગ્યાઓ માટે, અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી (https://www.mohfw.gov.in/pdf/4SoPstobefollowedinShoppingMalls.pdf પર ઉપલબ્ધ) જે લાગુ થવા પાત્ર રહેશે.

બજાર સ્થળોમાં આવેલા રેસ્ટોરાંઓ માટે અગાઉ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી (https://www.mohfw.gov.in/pdf/3SoPstobefollowedinRestaurants.pdf) જે લાગુ થવા પાત્ર રહેશે.

તેવી જ રીતે, કચેરી, ધાર્મિક સ્થળો/ પૂજા- પ્રાર્થનાના સ્થળો, તાલીમ સંસ્થાઓ, યોગ સંસ્થાઓ અને જીમ્નેશિયમ, સીનેમા હોલ/ થિયેટરો અને અન્ય કોઇપણ ચોક્કસ પ્રવૃત્તિઓ કે જે આ બજારોનો હિસ્સો હોય અથવા બજાર પરિસંકુલમાં આવેલ હોય તો, મંત્રાલય દ્વારા સમય સમયે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ લાગુ થવા પાત્ર રહેશે.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલા બજાર સ્થળો બંધ રાખવાના રહેશે. માત્ર કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર આવેલા સ્થળોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

3. સંવેદનશીલ લોકોની સુરક્ષા કરવી

જે 65 વર્ષની વધુ ઉંમરના લોકો, સહ બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવશ્યક અને આરોગ્ય સંબંધિત હેતુઓ સિવાયની સ્થિતિમાં ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. બજાર માલિક સંગઠનોને તદનુસાર સલાહ આપવામાં આવે છે.

જેમને વધુ જોખમ હોય તેવા કર્મચારીઓ જેમ કે, ઉંમરલાયક કર્મચારીઓ, ગર્ભવતી કર્મચારીઓ અને જેઓ કોઇ ચોક્કસ તબીબી સ્થિતિ હેઠળ હોય તેવા કર્મચારીઓની અવશ્યપણે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.

બજાર સંગઠનોને સલાહ આપવામાં આવે છે કે, આવા લોકોને જાહેર જનતા સાથે સીધો સંપર્ક કરવાની જરૂર હોય થાય તેવા કોઇપણ પ્રકારના અગ્ર હરોળના કાર્યોમાં સામેલ ના કરવા જોઇએ.

4. કોવિડ સંબંધિત યોગ્ય આચરણને પ્રોત્સાહન આપવું

કોવિડ-19ના સંક્રમણના જોખમને ઘટાડવા માટે સરળ જાહેર આરોગ્ય પગલાંનું પાલન કરવું જરૂરી છે. આ પગલાં દુકાનો અને જાહેર સ્થળોએ હંમેશા અનુસારવામાં આવે તેનું ધ્યાન માલિકો, મુલાકાતીઓ અને કામદારોએ રાખવું જરૂરી છે.

આ પગલાંઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

i. શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર જાળવી રાખવું.

ii. ફેસકવર/ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.

iii. હાથ ભલે દેખીતી રીતે ગંદા ના હોય તો પણ વારંવાર સાબુથી (ઓછામાં ઓછી 40-60 સેકન્ડ સુધી) હાથ ધોવાની આદત કેળવવી. આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર્સ (ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ઘસવું) દુકાનો અને અન્ય જ્યાં પણ શક્ય હોય તેવી જગ્યાએ ઉપલબ્ધ કરાવવા.

iv. શ્વસન સંબધિત શિષ્ટાચારનું ચુસ્ત પાલન કરવું. આમાં કોઇપણ વ્યક્તિને જ્યારે ઉધરસ/ છીંક આવે ત્યારે ટીશ્યૂ/ હાથરૂમાલનો ઉપયોગ કરવો/ કોણી પર નાક અને મોં રાખવું તેમજ વપરાયેલા ટીશ્યૂનો યોગ્ય નિકાલ કરવા જેવા આચરણોનો પણ સમાવેશ થાય છે.

v. તમામ વ્યક્તિએ પોતાના આરોગ્ય પર સતત જાતે જ દેખરેખ રાખવી અને બીમારીના કોઇપણ પ્રકારના લક્ષણો દેખાય તો વહેલામાં વહેલી તકે રાજ્ય અને જિલ્લા હેલ્પલાઇન પર તેની જાણ કરવી.

vi. કોઇપણ જગ્યાએ થુંકવા પર સખત પ્રતિબંધ લાગુ રહેશે.

vii. તમામ લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

5. બજારના સ્થળોએ આરોગ્યપ્રદ માહોલ જાળવી રાખવો.

સામાન્ય સમયમાં, બજારો સામાન્યપણે ખૂબ જ મોટી સંખ્યમાં લોકોના આગમનના કારણે ભરચક હોય છે અને તેવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝેશનની સુવિધાઓના અભાવ અને સ્વચ્છતાની નબળી સ્થિતિની શક્યતાઓ વધી જાય છે. કોવિડના સંક્રમણના જોખમને ઓછુ કરવા માટે, બજાર સ્થળોએ આરોગ્યપ્રદ માહોલ જાળવી રાખવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

આમાં નીચે ઉલ્લેખ કરેલી બાબતો સામેલ છે:

 

i. દુકાન માલિકોએ દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તે પહેલાં, દુકાનની અંદરના તમામ કાર્યસ્થળને સેનિટાઇઝ કરવું (1% સોડિયમ હાઇપોક્લોરેટ દ્રાવણનો ઉપયોગ કરીને).

ii. દુકાન ખોલતા પહેલાં, દિવસના અંતે અન્ય બીજા કોઇપણ અનુકૂળ સમયે વારંવાર સ્પર્શ થતો હોય તેવી સપાટીઓની (દરવાજના નકુચા/ હાથા, એલિવેટરના બટન, હાથની રેલિંગ, ખુરશી, ટેબલ ટોપ, કાઉન્ટર વગેરે) અને ફ્લોર, દિવાલ વગેરેની સ્વચ્છતા જાળવવી અને અવારનવાર જંતુરહિત કરવા.

iii. દુકાનમાં પ્રવેશની જગ્યાએ ફરજિયાત હાથની સ્વચ્છતા (સેનિટાઇઝર ડિસ્પેન્સર)ની વ્યવસ્થા કરવી જરૂરી છે.

iv. જ્યાં પાર્કિંગ પ્લોયના કર્મચારી દ્વારા કારનું પાર્કિંગ કરવામાં આવે ત્યાં, વાહનના સ્ટીઅરિંગ, દરવાજાના હેન્ડલ, ચાવી વગેરેને યોગ્ય રીતે જંતુરહિત કરવા અને વાહનનો ફરી ઉપયોગ કરતા પહેલાં તેને જંતુરહિત કરવામાં આવે તે વાહન માલિકે સુનિશ્ચિત કરવું જોઇએ.

v. જાહેર ઉપયોગીતાના વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓ 1% સોડિયમ હાઇપોક્લોરેટ દ્રાવણથી સેનિટાઇઝ કરવી જોઇએ. નિયમિત ધોરણે આ કામગીરી કરવી જોઇએ.

vi. શૌચાલયો, હાથ ધોવાની જગ્યાઓ અને પીવાના પાણીની જગ્યાઓની દિવસમાં ઓછામાં ઓછી 3-4 વખત ખૂબ જ સારી રીતે સફાઇ થવી જોઇએ.

vii. બજારના સંગઠનોએ જાહેર ઉપયોગીતાના વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓએ તેમના પોતાના માધ્યમો દ્વારા અને સ્થાનિક શહેરી સંગઠનો/ નાગરિક એજન્સીઓ દ્વારા આરોગ્યપ્રદ માહોલ જાળવી રાખવા માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવી જોઇએ.

 

વિગતવાર માર્ગદર્શિકાઓ આ લિંક પર ઉપલબ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/Guidelinesondisinfectionofcommonpublicplacesincludingoffices.pdf

 

6. બજારના સ્થળોએ કોવિડ સંબંધિત યોગ્ય આચરણનું પૂર્વાયોજન

6.1 બજારના સ્થળોએ કોવિડ સંબધિત યોગ્ય આચરણનું જાતે નિયમન કરવું

બજારના સ્થળોએ કોવિડ સંબંધિત યોગ્ય આચરણોનું બજાર સંગઠનો દ્વારા સંખ્યાબંધ પગલાંઓ દ્વારા જાતે નિયમન થઇ શકે છે જેમાં અહીં ઉલ્લેખ કરેલાં પગલાં પણ સામેલ થઇ શકે છે:

i. દરેક બજાર માટે એક પેટા સમિતિની રચના કરવી જેથી બજાર સ્થળોએ (દુકાનો અને બહારના ભાગે આવેલી જગ્યાઓમાં પણ) કોવિડ સંબંધિત યોગ્ય આચરણોનું યોગ્ય પાલન કરાવી શકાય અને તેના પર દેખરેખ રાખી શકાય.

ii. સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી કિંમતે માસ્ક વિતરણના કિઓસ્ક પણ દરેક પ્રવેશ સ્થળો અને પાર્કિંગ પ્લોટના સ્થળે ઉભા કરી શકાય.

iii. જેઓ માસ્ક ખરીદી શકે તેમ ના હોય તેમના માટે વિનામૂલ્યે માસ્કના વિતરણની જોગવાઇ પણ કરવી જોઇએ.

iv. જાહેર ઉપયોગીતાના વિસ્તારોમાં હાથ ધોવાની સુવિધાઓ ઉભી કરવી અને ત્યાં સાબુ તેમજ પાણી ઉપલબ્ધ હોય તે પણ સુનિશ્ચિત કરવું. પગ દ્વારા સંચાલિત નળ અને સંપર્કરહિત સોપ ડિસ્પેન્સરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે.

v. બજારમાં પ્રવેશ/ ઍક્સેસના સ્થળોએ મોટી સંખ્યામાં થર્મલ સ્ક્રિનિંગની જોગવાઇ પણ કરવી જોઇએ.

vi. થર્મલ ગન, સેનિટાઇઝર્સ, જાહેર ઉપયોગીતાના સ્થળોએ સેનિટાઇઝેશન માટે ડિસઇન્ફેક્ટન્ટની ખરીદી કરવી.

vii. મોખરાની જગ્યાઓ પર કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અંગે IEC સામગ્રી અને સંકેતાત્મક બોર્ડ્સ લગાવવા જોઇએ.

6.2 કોવિડ સંબંધિત યોગ્ય આચરણનું પાલન થાય તે કાયદાના અમલીકરણ એજન્સીઓ દ્વારા સુનિશ્ચિત કરવું

જાતે નિયમનના અભિગમમાં નિષ્ફળતા અથવા તેના પ્રભાવના અભાવનો અભિગમ પણ સામેલ હોવાથી, એવું પણ આયોજન કરવું જોઇએ કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં યોગ્ય કાયદાના અમલીકરણની કાર્યવાહી કરવામાં આવે. આમાં અહીં ઉલ્લેખ કરેલી બાબતો સામેલ છે;

i. જેઓ માસ્ક/ ફેસકવર ના પહેરે અથવા શારીરિક અંતર જાળવવાના માપદંડોનું પાલન ના કરે તેમની પાસેથી દંડ વસુલવામાં આવે.

ii. બજારો/દુકાનોને એકાંતરા દિવસે ખોલવા માટેના વિકલ્પની શક્યતાઓ ચકાસવામાં આવે.

iii. જો મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં હોય તો આવી સ્થિતિમાં બજાર બંધ કરવામાં આવે જે પ્રશાસન દ્વારા બજાર સાથે રોગચાળા સંબંધિત હોવાનું જાણવા મળે છે.

6.3 દુકાન માલિકો/ બજારમાં ઉપયોગીતાઓના સંચાલકો દ્વારા કોવિડ સંબંધિત યોગ્ય આચરણનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું આયોજન

દુકાન માલિકોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે:

i. દુકાન/ ઉપયોગીતાની અંદર અને બહારની બાજુએ, જમીન પર ચોક્કસ નિશાન બનાવીને બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનુંશારીરિક અંતર જળવાઇ રહે.

ii. દુકાન/ ઉપયોગીતાની અંદર અને બહારની બાજુએ યોગ્ય કતારનું વ્યવસ્થાપન કરવું.

iii. આવી કતારોમાં શારીરિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે તેમણે પુરતા પ્રમાણમાં કર્મચારીઓ નિયુક્ત કરવા.

iv. માસ્ક વગર દુકાન/ ઉપયોગીતા સ્થળે પ્રવેશી રહેલા ગ્રાહકો માટે ત્રિ-સ્તરીય માસ્ક/ ફેસ કવરની જોગવાઇ કરવી.

v. મુલાકાતીઓના હાથ સેનિટાઇઝ કરવા માટે દુકાન/ ઉપયોગીતાના સ્થળે પ્રવેશ દ્વાર પર હેન્ડ સેનિટાઇઝર્સ મુકવા. શક્ય હોય ત્યાં સુધી થર્મલ સ્ક્રિનિંગની પણ જોગવાઇ કરવી જોઇએ જેથી કામદારો અને ક્લાયન્ટ્સના શરીરનું તાપમાન માપી શકાય.

vi. સંપર્કરહિત ચુકવણીઓ માટે જ્યાં પણ લાગુ પડી શકે તેમ હોય ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવી.

6.4. પૂરતા પ્રમાણમાં હવાઉજાસ સુનિશ્ચિત કરવા

i. શક્ય હોય ત્યાં સુધી કુદરતી હવાઉજાસ અવશ્ય સુનિશ્ચિત કરવા જોઇએ અને નાની બંધિયાર જગ્યાઓનો ઉપયોગ ટાળવો જોઇએ.

ii. બારીઓ અને દરવાજા ખુલ્લા રાખીને, પંખાનો ઉપયોગ કરીને અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા બહારની હવાનું આવનજાવન શક્ય હોય ત્યાં સુધી વધારવું જોઇએ.

iii. એર-કન્ડિશનિંગ/ વેન્ટિલેશન માટે, આની સાથે આપવામાં આવેલી CPWD દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, તમામ એર કન્ડિશનર ઉપકરણોનું તાપમાન 24-30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું, સંબંધિત ભેજ 40-70%ની રેન્જમાં રાખવો, શક્ય હોય ત્યાં સુધી બહારની તાજી હવા અંદર આવવી જોઇએ અને પૂરતા પ્રમાણમાં સામસામે વેન્ટિલેશનની સુવિધા હોવી જોઇએ. એર હેન્ડલિંગ યુનિટ્સને ચાલુ કરતા પહેલાં તેની યોગ્ય સાફસફાઇ થવી જોઇએ.

6.5. ભીડનું વ્યવસ્થાપન

હંમેશા ભીડની સ્થિતિ રહેવી ના જોઇએ. સામાન્યપણે સપ્તાહના દિવસોમાં સાંજના સમયે સૌથી વધુ ભીડ જોવા મળતી હોય છે. સપ્તાહાંત અને રજાઓના દિવસોમાં બજાર સ્થળોએ મોટાભાગે દિવસ દરમિયાન ભીડ એકત્ર થતી હોય છે અને મોડી સાંજ સુધી ભરચક માહોલ રહે છે. ખાસ કરીને વધુ ભીડ વાળા સમય/ દિવસોની જરૂરિયાત અનુસાર વ્યવસ્થાપન માટે પૂર્વાયોજન કરવું જોઇએ. બજાર સંગઠનો સાથે મળીને કાયદાના અમલીકરણની એજન્સીઓ ભીડના વ્યસ્થાપન માટે સંખ્યાબંધ વ્યૂહનીતિઓ પર કામ થઇ શકે છે.

 

આમાં સામેલ છે:

i. નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો/ હોમગાર્ડ્સ/ સ્વયંસંવકો વગેરેને ભીડનું નિયંત્રણ કરવામાં જોડવા જોઇએ.

ii. મર્યાદિત સંખ્યામાં જ વાહનો પ્રવેશી શકે તે માટે પાર્કિંગના પ્લોટનો ઍક્સેસ નિયંત્રિત કરવો જોઇએ.

iii. જો શક્ય હોય તો, લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ વ્યવસ્થા કરવી જોઇએ અને તેમાં બંને તરફ મુલાકાતીઓનો પ્રવાહ એક જ દિશામાં આગળ વધતો હોવો જોઇએ.

iv. બજાર સ્થળોમાં આવેલા માર્ગો વાહન મુક્ત (મોટરસાઇકલ/ ઇલેક્ટ્રિક રીક્ષા સહિત) હોવા જોઇએ અને માત્ર પગદંડી/ શક્ય હોય ત્યાં સુધી સાઇકલ માટે સુરક્ષિત હોવા જોઇએ.

v. બજારના સ્થળો પર થતા ગેરકાયદે પાર્કિંગ સામે કાયદાના અમલીકરણ એજન્સીઓ દ્વારા કડક દંડાત્મક પગલાં લઇ શકાય.

vi. વાહનો માત્ર અલગ ફાળવવામાં આવેલા પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરવાની મંજૂરી આપવી જોઇએ. પાર્કિંગ પ્લોટમાં અને પરિસંકુલની બહાર - યોગ્ય ભીડ વ્યવસ્થાપનમાં શારીરિક અંતરના માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા સહિત તમામ પગલાંનું પાલન થવું જોઇએ.

vii. અતિ ભીડની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે CCTV મોનિટરિંગનો પણ ઉપયોગ કરી શકાય.

viii. દુકાનો/ ઉપયોગીતાઓના અલગ અલગ સમય રાખીને તેમને લાંબા સમય સુધી ખુલ્લા રાખવાની શક્યતાઓ પણ ચકાસવી જોઇએ.

ix. બજારોમાં સીધા પહોંચી શકાય તેવા સ્ટેશનો પર સ્થાનિક મેટ્રો રેલના સ્ટોપેજ જેવા વિશિષ્ટ કિસ્સાઓમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન કરવું જોઇએ.

x. કરિયાણું/ ચીજવસ્તુઓનું ઑનલાઇન બુકિંગ અને ઘરઆંગણે ડિલિવરીની જોગવાઇને અવશ્ય પ્રોત્સાહન આપવું જોઇએ. હોમ ડિલિવરીમાં સંકળાયેલા સ્ટાફને હોમ ડિલિવરી માટે મોકલવામાં આવે તે પહેલાં વેન્ડર દ્વારા તેમનું થર્મલ સ્ક્રિનિગ અચુક કરવું જોઇએ.

xi. જેઓ નોન-પીક અવર્સ એટલે કે લોકોની મોટી સંખ્યામાં આવક સિવાયના સમયમાં ખરીદી કરે તેમને પ્રોત્સાહનો/ ડિસ્કાઉન્ટ જેવા પગલાં અંગે પણ વિચાર કરી શકાય.

6.6 લોકોમાં જાગૃતિ ફેલાવવી

i. કોવિડ-19 સામે નિવારાત્મક પગલાંઓ અંગે લોકોને સમજણ આપતા પોસ્ટર/સ્ટેન્ડિ/AV મીડિયા વગેરે બજારના વિસ્તારમાં મોખરાના સ્થળોએ રાખવાની જોગવાઇ અવશ્ય હોવી જોઇએ. આવા અનુકૂળ સ્થળોએ લોકોએ શું કરવું અને શું ના કરવું તેના વિશે માહિતીઓ પણ પ્રદર્શિત કરવી જોઇએ.

ii. સાવચેતીના પગલાં રૂપે કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અંગે રેકોર્ડ કરેલા સંદેશાઓ બજારના સ્થળોએ લગાવવામાં આવેલી AV સિસ્ટમના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય.

iii. દુકાનોની મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ હોય તો, તેના પર અવશ્યપણે તેમના પ્રારંભિક પેજ પર કોવિડ-19ના નિવારાત્મક પગલાં અંગે માહિતી પ્રદર્શિત કરવી જોઇએ. વેબસાઇટ/ મોબાઇલ એપ્લિકેશને આરોગ્ય પર જાતે દેખરેખ રાખવા અંગે માહિત આપવાની રહેશે અને જો કોવિડ-19ના લક્ષણોથી પીડિત કોઇ વ્યક્તિ હોય તો તેમણે બજારની મુલાકાત ન લેવાની પણ માહિતી આપવાની રહેશે.

iv. મોખરાના સ્થળોએ રાજ્ય હેલ્પલાઇન નંબરો અને સ્થાનિક આરોગ્ય સત્તામંડળોના નંબરો પ્રદર્શિત કરવા.

6.7. કોવિડ સંબંધિત પૂરવઠો ઉપલબ્ધ કરાવવો

i. વ્યક્તિગત સુરક્ષાના ઉપકરણો જેમકે, ફેસ કવર/માસ્ક અને અન્ય લોજિસ્ટિક્સ જેમ કે, હેન્ડ સેનિટાઇઝર્સ, સાબુ, સોડિયમ હાઇપોક્લોરેટ દ્રાવણ (1%) વગેરે માટે દુકાન માલિકો દ્વારા કર્મચારીઓ માટે જરૂરિયાત અનુસાર પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવી. બજારના સંગઠનોએ જાહેર ઉપયોગીતાના વિસ્તારોએ સેનિટાઇઝેશન માટે આ તમામ ચીજો પ્રાપ્ત કરવાની રહેશે.

ii. કેલિબ્રેટેડ થર્મલ ગનનો પૂરતા પ્રમાણમાં પૂરવઠો ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

iii. ઢાંકણા વાળી કચરાપેટી અને કચરાના ડબા પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે જેથી CPCBની માર્ગદર્શિકા અનુસાર કચરાનું વ્યવસ્થાપન થઇ શકે (આ લિંક પર ઉપલબ્ધ: https://cpcb.nic.in/uploads/Projects/BioMedical-Waste/BMWGUIDELINES- COVID_1.pdf)

7. બજાર સ્થળોએ આરોગ્યપ્રદ પરિચાલન જાળવવું

i. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વસતા દુકાન માલિકો, કર્મચારીઓ અને મુલાકાતીઓને બજાર સ્થળોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ii. દુકાનોના પ્રવેશદ્વાર પર તમામ કર્મચારીઓ/ મુલાકાતીઓને ફરજિયાતપણે હાથ સ્વચ્છ કરવાના રહેશે (સેનિટાઇઝર ડિસ્પેન્સરથી) અને થર્મલ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે. માત્ર લક્ષણો ના ધરાવતા કર્મચારીઓ/ મુલાકાતીઓને દુકાનની અંદર પ્રવેશ આપવામાં આવશે.

iii. તમામ કર્મચારીઓ/ મુલાકાતીઓએ જો ફેસ કવર/માસ્ક પહેરેલું હોય તો જ તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ફેસ કવર/માસ્ક દુકાનની અંદર અને બહાર હંમેશા પહેરેલું રાખવું પડશે.

iv. પ્રવેશદ્વાર પર કતારમાં મુલાકાતીઓ વચ્ચે છ ફૂટનુ શારીરિક અંતર જળવાઇ રહે તે માટે તબક્કાવાર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે.

v. દુકાનની અંતર ગ્રાહકોની સંખ્યા ઓછામાં ઓછી રાખવી જેથી અંદરની દરેક વ્યક્તિ વચ્ચે શારીરિક અંતરના માપદંડોનું પાલન થઇ શકે.

vi. દુકાનની અંદર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો, બે ખુરશી અથવા બેંચ વગેરે વચ્ચે ઓછામાં ઓછુ છ ફૂટનુ અંતર શક્ય હોય ત્યાં સુધી સુનિશ્ચિત કરવું.

vii. એલિવેટર્સમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવી, અને ત્યાં પણ શારીરિક અંતરના માપદંડોનું પાલન થવું જોઇએ. એસ્કેલેટર્સમાં એકાંતરા પગથિયા પર એક વ્યક્તિને ઉભા રહેવાની મંજૂરી સાથે તેના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.

ix. દુકાન માલિક/ સ્ટાફના સભ્યોએ વારંવાર હાથ ધોવા/ હેન્ડ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવો જોઇએ.

 

SD/GP/BT



(Release ID: 1677713) Visitor Counter : 314