પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી સાથે કર્ણાટકના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વાતચીત કરી

Posted On: 16 OCT 2020 8:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી એસ યેદીયુરપ્પા સાથે કર્ણાટકના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાજી સાથે કર્ણાટકના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વાત કરી. આપણે પૂરથી પ્રભાવિત કર્ણાટકના આપણા બહેનો અને ભાઇઓ સાથે છીએ. બચાવ અને રાહત કાર્યોમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહયોગની ખાતરી આપી છે."

 

SD/GP/BT



(Release ID: 1665304) Visitor Counter : 206