પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી

Posted On: 25 AUG 2020 10:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં મકાન ધરાશાયી થવાથી દુઃખ થયું. મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઇ જાય. સ્થાનિક અધિકારીઓ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે છે, શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” 

 

SD/GP/BT



(Release ID: 1648425) Visitor Counter : 173