સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ


ભારતમાં સાજા થવાનો દર વધીને 70%ને પાર કરી ગયો

ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7,33,449 એક દિવસીય પરીક્ષણો કરવામાં આવ્યા

Posted On: 12 AUG 2020 2:58PM by PIB Ahmedabad

અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના પરિણામે છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ.  

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સંકલિત પ્રયાસોના પરિણામે સાજા થવાના દર સતત વધારો થઈ રહ્યો છે. જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી એક દિવસમાં સરેરાશ સાજા થયેલા કેસની સંખ્યા 15000 હતી, જે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં 50000થી વધારે થઈ ગઈ છે. 

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઇસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળવાના કારણે કુલ સજા થયેલા દર્દીઓની સંખ્યા 16 લાખના આંકડાને પાર કરી 16,39,599 થઈ ગઈ છે. સાજા થવાનો દર 70.38% ની બીજી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.

દેશમાં વાસ્તવિક કેસ ભારણ એ સક્રિય કેસ ((6,43,948) છે જે કુલ પોઝિટિવ કેસના માત્ર 27.64% છે. તે તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે. સજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત અને નિરંતર વૃદ્ધિ સાથે, સજા થયેલા દર્દીઓ અને સક્રિય કોવિડ-19 કેસો વચ્ચેનું અંતર લગભગ 10 લાખ પર પહોંચી ગયું છે.

હોસ્પિટલમાં વધુ ધ્યાન કેન્દ્રિત, સારી અને અસરકારક ક્લિનીકલ સારવાર, નોન-ઇન્વેસીવનો ઉપયોગ, વધુ સારી અને સંકલિત એમ્બ્યુલન્સની સેવાઓ દ્વારા દર્દીઓને તાત્કાલિક અને સમયસર સારવારના પરિણામોએ કોવિડ-19 દર્દીઓના વ્યવસ્થાપનમાં કુશળતા આવી છે. પરિણામે, વૈશ્વિક સરેરાશની તુલનાએ મૃત્યુદરમાં પણ ઘટડો થયો છે. મૃત્યુદર વર્તમાનમાં 1.98% થયો છે.

ભારતની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચનાએ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 7,33,449 પરીક્ષણો કરી નવી ઉંચાઈ હાંસલ કરી. સંકલિત પરીક્ષણોની સંખ્યા વધીને 2.6 કરોડ થઈ છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 18,852 થયા.

ક્રમાંકિત અને વિકસતા પ્રતિસાદને પરિણામે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણમી છે જેણે દેશમાં પરીક્ષણ જાળવણીને સતત વિસ્તરી છે. આ વ્યૂહરચનાને પરિણામે દેશમાં પરીક્ષણ લેબોરેટરીનું નેટવર્ક સતત વિસ્તૃત થઈ રહ્યું છે. આજે સરકારી ક્ષેત્રમાં 944 લેબોરેટરી અને 477 ખાનગી લેબોરેટરી સાથે, ભારતમાં કોવિડ-19 પરીક્ષણ માટે 1421 લેબોરેટરી છે. આમાં શામેલ છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 724 (સરકારી: 431 + ખાનગી: 293)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 584 (સરકારી: 481 + ખાનગી: 103)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 113 (સરકારી: 32 + ખાનગી: 81)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT

 

 



(Release ID: 1645371) Visitor Counter : 185