સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત પરીક્ષણ 1.77 કરોડને પાર


પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 12,858 થયા

Posted On: 29 JUL 2020 4:40PM by PIB Ahmedabad

કેન્દ્રના માર્ગદર્શન હેઠળની રાજ્ય/કેન્દ્ર શાસિત રાજ્ય સરકારો કોવિડ-19 પોઝિટિવ કેસની તાત્કાલિક ઓળખ અને આઈસોલેશનને સુનિશ્ચિત કરવા માટે સતત પરીક્ષણ આગળ ધપાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 4,08,855 નમૂનાઓના પરીક્ષણ સાથે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા વધીને 12,858 થઈ ગઈ છે અને સંચિત પરીક્ષણ 1.77 કરોડથી વધી ગયું છે.

દેશમાં 1316 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છે;  હાલમાં દેશમાં 906 સરકારી લેબોરેટરી અને 410 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે મુજબ છે:

• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 675 (સરકારી: 411 + ખાનગી: 264)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 537 (સરકારી: 465 + ખાનગી: 72)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 104 (સરકારી: 30 + ખાનગી: 74)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે “ભારતમાં કોવિડ-19 રોગચાળો અને તમાકુનો ઉપયોગ” નામનો એક લેખ બહાર પાડ્યો છે. જે અહીંથી મેળવી શકાય છે:

https://www.mohfw.gov.in/pdf/COVID19PandemicandTobaccoUseinIndia.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT



(Release ID: 1642054) Visitor Counter : 323