પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા કરી

Posted On: 15 JUL 2020 2:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની તેમજ ધામની દિવ્યતાને વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરી.

કેદારનાથ મંદિર અને જગદગુરુ આદિ શંકરાચાર્યની સમાધિસ્થળની દિવ્યતાને આગળ વધારવા, સ્વચ્છતા જાળવવા અને વ્યાપક વિકાસને સુનિશ્ચિત કરવા વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ સમીક્ષામાં ગૌરીકુંડ-કેદારનાથ માર્ગ પર મુસાફરોને તમામ સુવિધા મળે અને ટેકનોલોજી દ્વારા યાત્રાધામના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને પ્રદર્શિત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

DS/GP/BT



(Release ID: 1638737) Visitor Counter : 187