સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર વધીને 60%ની નજીક પહોંચ્યો

સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત હવે 1 લાખ 20 હજારથી પણ વધુ થઇ ગયો

Posted On: 30 JUN 2020 2:37PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા સહિયારા અને કેન્દ્રિત પ્રયાસોના કારણે કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર ઝડપથી સુધરીને હવે લગભગ 60%ની નજીક પહોંચી ગયો છે.

 

આજની સ્થિતિ અનુસાર, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોવિડ-19ના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,19,696 વધારે નોંધાઇ છે.

તેમજ, હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,15,125 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે 3,34,821 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ રજા આપી દેવામાં આવી છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.07% સુધી પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19માંથી કુલ 13,099 દર્દીઓ સાજા થઇ ગયા છે.

ભારતમાં કોવિડના નિદાન માટે લેબોરેટરીની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1049 થઇ ગઇ છે. આમાં 761 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 288 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 571 (સરકારી: 362 + ખાનગી: 209)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 393 (સરકારી: 367 + ખાનગી: 26)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 85 (સરકારી: 32 + ખાનગી: 53)

સાથે સાથે, પરીક્ષણની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,10,292 સેમ્પલનું કોવિ઼ડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 86,08,654 સુધી પહોંચી ગયો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા કોવિડ-19 મહામારીના સમયમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન સેવાઓ સલામત રીતે હાથ ધરવા માટે બીજી વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

 

વિગતવાર માર્ગદર્શિકા લિંક પરથી મેળવી શકાય છે:

https://www.mohfw.gov.in/pdf/2ndNBTCGuidanceinLightofCOVID19Pandemic.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે

કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

 

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

 

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત

પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1635360) Visitor Counter : 225