સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 06 JUN 2020 1:30PM by PIB Ahmedabad

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કુલ 4,611 દર્દી સાજા થઇ ગયા છે. સાથે, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,14,073 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર હાલમાં 48.20% નોંધાયો છે. અત્યારે દેશમાં કુલ 1,15,942 સક્રિય કેસો છે અને તેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓને ઝડપથી શોધી કાઢવા માટે ICMR દ્વારા સેમ્પલના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં અત્યારે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 520 કરવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરેટરીની સંખ્યા 222 છે (કુલ 742 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં 1,37,938 સેમ્પલનું કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 45,24,317 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 



(Release ID: 1629900) Visitor Counter : 276