સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 04 JUN 2020 4:45PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 3,804 દર્દી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,04,107 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 47.99% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ 1,06,737 સક્રિય કેસો છે અને તમાનને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ICMR દ્વારા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોના પરીક્ષણ માટે ક્ષમતા વધારવામાં આવી છે. પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 498 કરવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરટરીની સંખ્યા 212 કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,39,485 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 42,42,718 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

સલામત ENT પ્રેક્ટિસ માટે મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેનું કોવિડ-19 મહામારી દરમિયાન પાલન કરવાનું રહેશે. માર્ગદર્શિકા લિંક પર ઉપલબ્ધ છે-

https://www.mohfw.gov.in/pdf/ENTCOVID0306.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1629368) Visitor Counter : 314