પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસિના વચ્ચે ટેલીફોનિક વાતચીત થઇ

Posted On: 25 MAY 2020 7:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસિનાને ફોન કરીને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.

બંને નેતાઓએ પોત પોતાના દેશોમાં અમ્ફાન વાવાઝોડાના કારણે સર્જાયેલા નુકસાનના મૂલ્યાંકન અંગે વાતચીત કરી હતી. ઉપરાંત બંને દેશના નેતાઓ વચ્ચે કોવિડ મહામારીની પરિસ્થિતિ અને સંબંધે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહકાર અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પડકારોનો સામનો કરવા માટે બાંગ્લાદેશને ભારત તરફથી સહાયતા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિના અને બાંગ્લાદેશના મૈત્રીપૂર્ણ લોકોને સારા આરોગ્ય અને સુખાકારીની શુભેચ્છા પાઠવી હતી.

 

 

GP/DS



(Release ID: 1626795) Visitor Counter : 198