ગૃહ મંત્રાલય

OCI કાર્ડ ધારકો માટે ભારતની મુલાકાત લેવા માટે આજીવન મલ્ટીપલ પ્રવેશ અધિકાર વીઝા, ભારતમાં આવવા/ બહાર જવા પર આંતરરાષ્ટ્રીય પ્રવાસના પ્રતિબંધો દૂર કરવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રહેશે

Posted On: 05 MAY 2020 7:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આદેશ બહાર પાડીને સૂચવવામાં આવ્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકો (OCI) કાર્ડધારકો તરીકે નોંધાયેલી વ્યક્તિઓને કોઇપણ હેતુથી ભારતની મુલાકાત લેવા માટે આપવામાં આવેલા આજીવન મલ્ટીપલ પ્રવેશ અધિકાર વીઝા, મુસાફરોને ભારતમાંથી વિદેશ જવા અને વિદેશથી ભારતમાં આવવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ભારત સરકારે મૂકેલા પ્રતિબંધો દૂર કરવામાં આવે ત્યાં સુધી મોકૂફ ગણવામાં આવશે.

OCI કાર્ડધારક કોઇપણ વિદેશી વ્યક્તિ કે જેઓ સમયગાળા દરમિયાન અનિવાર્યતાના કારણોથી ભારતનો પ્રવાસ કરવા માંગે છે તેમણે નજીકના ભારતીય મિશનનો સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, જો OCI કાર્ડધારક કોઇપણ વ્યક્તિ કે જેઓ પહેલાંથી ભારતમાં છે, તેમનું OCI કાર્ડ ભારતમાં તેઓ ગમે તેટલો સમય રોકાશે ત્યાં સુધી માન્ય ગણવામાં આવશે.

 

સત્તાવાર આદેશ જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS



(Release ID: 1621307) Visitor Counter : 197