નાણાં આયોગ

15મા નાણાં પંચની સલાહકાર પરિષદ બેઠક 23 અને 24 એપ્રિલ, 2020ના રોજ યોજાશે

Posted On: 20 APR 2020 7:08PM by PIB Ahmedabad

15મા નાણા પંચની આર્થિક સલાહકાર પરિષદની બેઠક 23 અને 24 એપ્રિલ, 2020ના રોજ મળશે. ઓનલાઇન બેઠકની અધ્યક્ષતા 15મા નાણા પંચના અધ્યક્ષ શ્રી એન કે સિંહ કરશે તથા એમાં નાણાં પંચના તમામ સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. પરિષદની 23 એપ્રિલનાં રોજ આયોજિત બેઠકમાં પરિષદના 5 સભ્યો પણ સામેલ થશે, જેમાં ડો. ક્રિષ્નામૂર્તિ સુબ્રમનિયન, ડો. સાજ્જિદ ઝેડ શિનોય, ડો. પ્રાચી મિશ્રા, શ્રી નીલકંઠ મિશ્રા અને ડો. ઓમકાર ગોસ્વામી સામેલ થશે. બીજા દિવસે 24 એપ્રિલ, 2020ના રોજ આયોજિત બેઠકમાં પરિષદના બાકીના સભ્યોની બેઠક યોજાશે.

 

સલાહકાર પરિષદની બેઠક માટેના એજન્ડામાં નીચેની બાબતો સામેલ હોવાની શક્યતા છે

  • વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ માટે રોગચાળાની અસરની સમીક્ષા. સમયની સાથે વધારે વિસ્તૃત પરિબળો સાથે સંબંધિત અનિશ્ચિતતા.
  • ચાલુ વર્ષ અને આગામી વર્ષમાં કરવેરામાં વૃદ્ધિ અને આવકમાં વધારો થવાની સંભવિત ધારણાઓ.
  • અર્થતંત્રને વેગ આપવા સરકારી ખર્ચને પ્રોત્સાહન આપવું શું કરવું પડશે?

 

GP/DS



(Release ID: 1616532) Visitor Counter : 4706